બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / સ્પોર્ટસ / Cricket / Sarfaraz Khan was not selected in Team India for this reason, not fitness, explains Australian veteran cricketer
Megha
Last Updated: 08:59 AM, 27 June 2023
ભારતીય ટીમને આવતા મહિને એટલે કે જુલાઈમાં વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર જવાનું છે. અહીં બન્ને ટીમોની વચ્ચે ટેસ્ટ, વનડે અને ટી20ની સીરિઝ રમાશે. આ વિંડીઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં ઘણા ચોંકાવનારા નામ શામેલ કરવામાં આવ્યા છે તો ઘણા ખેલાડીને મોકો નથી મળ્યો. એવામાં યુવા બેટ્સમેન સરફરાઝ ખાનને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહેલી ભારતીય ટીમમાં ન પસંદ કરવાનો મુદ્દો અત્યારે ભારતીય ક્રિકેટમાં ચર્ચાનો વિષય છે.
સરફરાઝને ન મળ્યો મોકો
સ્થાનિક ક્રિકેટમાં સદી અને સારા રન બનાવવા છતાં મુંબઈના આ બેટ્સમેનની સતત ઉપેક્ષા સામે ક્રિકેટ પ્રેમીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને ઈન્ડિઝ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે પણ સરફરાઝને મોકો મળ્યો નહીં એ વાત લોકોને પાચન નથી થઈ રહી. એવું માનવામાં આવે છે કે આ બેટ્સમેનને ખરાબ ફિટનેસનો ભોગ બનવું પડ્યું છે જોકે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર બ્રેડ હોગનો મત આનાથી અલગ છે.
પસંદગી ન થવાનું કારણ સરફરાઝનો ખરાબ રેકોર્ડ
યુટ્યુબ ચેનલ પર સરફરાઝના મુદ્દા પર ચર્ચા કરતા બ્રેડ હોગે કહ્યું કે સારી ક્વોલિટીના ફાસ્ટ બોલરો સામે સરફરાઝનો ખરાબ રેકોર્ડ તેની પસંદગી ન થવાનું કારણ છે. જો કે, 52 વર્ષીય ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે આશા વ્યક્ત કરી હતી કે સરફરાઝ આગામી આઈપીએલમાં વધુ સારું પ્રદર્શન કરી શકશે અને ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવશે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 79.65ની સરેરાશથી બનાવ્યા રન
સરફરાઝે રણજી ટ્રોફીને પાછલા ત્રણ સીઝનમાં 2566 રન બનાવ્યા છે. તેમણે પોતાના કરિયરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 37 મેચોમાં 79.65ની સરેરાશથી રન બનાવ્યા છે. એવામાં અંડર-19 વર્લ્ડ કપમાં બે વખત દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીને ટીમ ઈન્ડિયામાં જગ્યા ન આપવા પર સવાલ ઉઠી રહ્યો છે.
પોતાનું પ્રદર્શન સુધારશે તો જરૂરથી મોકો મળશે
હોગે કહ્યું, 'સરફરાઝ રણજી ટ્રોફીમાં શાનદાર રહ્યો છે પરંતુ તે આ ટીમમાં કેમ નથી. મને ખબર છે કે સરફરાઝને ભારતીય ટેસ્ટ ટીમમાં કેમ પસંદ કરવામાં આવ્યો નથી. તેણે કહ્યું કે પ્રથમ વસ્તુ - તે તેની રાજ્ય ટીમ માટે મિડલ ઓર્ડરમાં 5 કે 6 નંબર પર બેટિંગ કરે છે. જો તમે સારા પેસ બોલિંગ સામે તેનો રેકોર્ડ જોશો તો તે સારો નથી. મને લાગે છે કે ભારતીય પસંદગીકારો આ મામલે સરફરાઝને લઈને થોડા ખચકાટ અનુભવતા હતા. જો કે, જો તે આગામી IPL સિઝનમાં પોતાનું પ્રદર્શન સુધારશે તો મને ખાતરી છે કે તે ટેસ્ટ સ્તરે ભારતીય ટીમમાં લાંબા સમય સુધી સર્વ કરશે, ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ સ્પિનરનું પણ માનવું છે કે ટીમ ઈન્ડિયાના વોલ ચેતેશ્વર પૂજારાને ટીમમાં પસંદ ન કરવા પાછળનું કારણ તેની બેટિંગ પ્રદર્શન કરતા તેની સ્ટ્રાઈક રેટ વધુ હતી.
સરફરાઝને જગ્યા ન મળવા પર લેજેન્ડ સુનીલ ગાવસ્કર જેવા પૂર્વ દિગ્ગજે આલોચના કરી હતી. પરંતુ હવે BCCIના એક સૂત્રેએ દાવો કર્યો છે કે આ નિર્ણયના પાછળ મુંબઈના બેટ્સમેનની ખરાબ ફિટનેસ અને અનુશાસનમાં કમી મોટું કારણ છે.
ટીમમાં ઋતુરાજ ગાયકવાડનું સિલેક્શન
જ્યારે ભારતીય ટીમમાં ઋતુરાજ ગાયકવાડનું સિલેક્શન થયું છે. જેમના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની સરેરાશ 42ના નજીક છે. ટીમની પસંદગી સાથે જોડાયેલા BCCIના એક અધિકારીએ જણાવ્યું, "આ પ્રકારની નારાજગી વાળી પ્રતિક્રિયા સમજમાં આવે છે પરંતુ હું તમને જણાવી શકૂ છું કે સરફરાઝને વારંવાર નજરઅંદાજ કરવામાં આવવા પાછળનું કારણ ફક્ત ક્રિકેટ નથી. એના ઘણા કારણ છે જેના કારણે તેમનું સિલેક્શન નથી થઈ રહ્યું."
"સરફરાઝે વજન કરવું જોઈએ ઓછુ"
તેમણે કહ્યું, "શું સિલેક્ટર્સમાં સમજણ નથી? જે સતત બે સીઝનમાં 900થી વધારે રન બનાવનાર ખેલાડીને નજરઅંદાજ કરે? ટીમમાં સિલેક્શન ન થવા પાછળ એક મોટુ કારણ તેમની ફિટનેસ છે. જે ઈન્ટરનેશનલ લેવલની નથી. સરફરાઝે તેના મામલામાં ખૂબ મહેનત કરવાની રહેશે અને પોતાનું વજન ઓછુ કરી વધારે ફિટનેસની સાથે વાપસી કરવાની રહેશે. સિલેક્ટર્સ માટે ફક્ત બેટિંગ ફિટનેસ જ એક માત્ર માપદંડ નથી."
બીસીસીઆઈના અધિકારી અનુસાર ફિટનેસની સાથે જ સરફરાઝના મેદાનની અંદર અને બહારના વ્યવહાર પણ અનુશાસનના માપદંડ પર ખરા નથી રહ્યા. તેમણે કહ્યું, "મેદાનની અંદર અને બહાર તેમનું આચરણ મુખ્ય સ્તરનું નથી રહ્યું. અમુક વાતો અને અમુક ભાવ ભંગિમા અનુશાસનની દૃષ્ટિકોણથી સારી નથી રહી. આશા છે કે સરફરાજ અને તેમના પિતા સુધી કોચ નૌશાદ ખાનની સાથે આ પાસા પર કામ કરશે."
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir