બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sanand Sajjad Bandh today: Strong anger among traders due to this tughlaki decision of the system
Priyakant
Last Updated: 12:05 PM, 15 July 2023
સાણંદ નગરપાલિકાએ વેરામાં વધારો કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ નગરજનો અને વેપારીઓ દ્વારા આજે સાણંદ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ તરફ હવે સાણંદમાં સજ્જડ બંધનો માહોલ જોવા મળી રહ્યો છે. સાણંદમાં મેડિકલ સ્ટોર સિવાય બજાર સજ્જડ બંધ છે. નોંધનીય છે કે, પાલિકા દ્વારા વધારવામાં આવેલ વેરો પરત ખેંચવા રજૂઆતની સાથે આજે સાણંદ બંધનું એલાન કરવામાં આવેલ છે.
અમદાવાદની નજીક આવેલ સાણંદમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેનું કારણ છે પાલિકા દ્વારા વેરામાં વધારવામાં આવેલ અંદાજે 200 ટકાનો વધારો. વાત જાણે એમ છે કે, સાણંદ પાલિકા દ્વારા તાજેતરમાં જ વેરો વધારવામાં આવ્યો છે. જેમાં ખાસ કરી ને પાણી, શિક્ષણ, સફાઈ, મિલકત સહિતના વેરામાં અંદાજે 200 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યો છે. જેને લઈ નગરજનો સહિત વેપારીઓ પણ ભારે વિરોધ કરી રહ્યા છે.
આજે સાણંદ બંધનું એલાન
સાણંદ નગરપાલિકા દ્વારા વધારવામાં આવેલ મસમોટા વેરાની સામે હવે નગરજનો અને વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ આજે નગરજનો અને વેપારીઓ દ્વારા સાણંદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ તરફ હવે આજે મેડિકલ સિવાય તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે. આ તરફ નગરજનો આક્ષેપ કરી રહ્યા છે કે, સુવિધા માટેની ગ્રાન્ટમાં કરોડો રૂપિયા ફાળવ્યા છતાં પણ કામ અધૂરા છે.
નગરપાલિકા દ્વારા વેરો વધારાયો અને પછી........
સાણંદ નગરપાલિકા દ્વારા અલગ-અલગ વેરામાં વધારો કરવામાં આવ્યો છે. વિગતો મુજબ મિલકત વેરો 953થી વધારી 1733 કરવામાં આવ્યો તો શિક્ષણ ઉપર 29થી 87 વેરો કર્યો અને પાણી વેરો 800થી વધારી 2 હજાર કર્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોનું કહેવુ છે કે, પહેલી વાર દિવાબત્તી વેરો લાગુ કર્યો છે. આ તરફ હવે વેરો પરત ખેંચવા રજૂઆત કરાઇ છે. નોંધનીય છે કે, સાણંદમાં આશરે 70 હજાર જેટલી વસ્તી અને 10 હજારથી પણ વધારે રહેણાક બાંધકામ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh