બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Malay
Last Updated: 11:01 AM, 7 October 2023
Bhavnagar News: ભાવનગરની શાળાઓમાં મધ્યાહન ભોજનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત 57 જેટલી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ થતાં ખળભળાટ મચી ગયો છે. મનપાની 57 જેટલી શાળાઓમાં આશરે 22 હજાર વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનમાં ભેળસેળયુક્ત તેલ વપરાયાનો ખુલાસો થયો છે. જે બાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
22 હજાર બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા
ભાવનગરમાં 22 હજાર જેટલા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવાનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત 57 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા મધ્યાહન ભોજન બનાવવા માટે વપરાતા ખાદ્યતેલના નમૂના ફેલ થયા છે. મધ્યાહન ભોજનમાં ભેળસેળયુક્ત તેલ વપરાયાનો ખુલાસો થયો છે.
અક્ષયપાત્રને રૂ.10 હજાર અને તેલ સપ્લાયરને 1 લાખનો દંડ
મનપાની શાળાઓમાં મધ્યાહન ભોજનનું કામ અક્ષયપાત્ર નામની સંસ્થાને આપવામાં આવ્યું છે. ખાદ્યતેલના નમૂના ફેલ થયા બાદ મનપાએ અક્ષયપાત્ર સંસ્થાને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે અને તેલ સપ્લાયરને રૂ. 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
વર્ષ 2022માં લેવામાં આવ્યા હતા નમૂના
અહીં સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે મનપાના ફૂડ વિભાગે વર્ષ 2022માં આ શાળાઓમાંથી તેલના નમૂના લીધા હતા. આ નમૂના ફેલ ગયા બાદ છેક 1 વર્ષ અને 8 મહિના બાદ મનપાએ કાર્યવાહી કરી છે. મધ્યાહન ભોજન બનાવતી અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને અત્યાર સુધી કેમ છાવરવામાં આવ્યા અને આટલા સમય સુધી તેમની સામે સામે કાર્યવાહી કેમ કરવામાં ન આવી તે એક મોટો સવાલ છે. એક સાથે આટલા બધા હજારો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા હોવા છતાં મનપાએ આ બાબતને કેમ ગંભીરતાથી ન લીધી? મહાનગરપાલિકાએ અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયરને કેમ બચાવવાનો કર્યો પ્રયાસ? જેવા અનેક સવાલો સ્થાનિકો મુખે ચર્ચાઈ રહ્યા છે.
સળગતા સવાલ
- હજારો બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારને 10 હજારનો જ દંડ કેમ?
- મનપાને કાર્યવાહી કરવામાં 1 વર્ષ અને 8 મહિનાનો સમય કેમ લાગ્યો?
- શું થોડો દંડ કરીને દોષિતોને છોડી દેવા યોગ્ય છે?
- નમૂના 2022માં લીધા તો કાર્યવાહીમાં સમય કેમ?
- તેલના નમૂના ફેલ થયા છતાં અક્ષયપાત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કેમ ન કરાઈ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh