બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Russia-Ukraine situation worries Surat diamond industry, negative impact on trade
Mehul
Last Updated: 03:35 PM, 1 March 2022
રશિયા-યુક્રેન યુદ્ધની મોટી ભીતિથી સુરતના હીરા ઉદ્યોગકારોમાં ભારે ચિંતા પેસી ગઈ છે. સંભવિત યુદ્ધના મંડાણ દર્શાતા રફ હીરા નહીં મળવાની ભીતિએ ઉદ્યોગકારોને ચિંતાના મહાસાગરમાં ડૂબાડી દીધા છે. ધંધાકીય દ્રષ્ટિએ સુરત સહિત સમગ્ર દેશમાં 30 ટકા રફ હીરાની આયાત રશિયાથી થઇ રહી છે. આવી પરિસ્થિતિમાં રશિયાની રફ માઇનિંગ કંપની એલરોઝાનો સુરત ડાયમંડ બુર્સને પત્ર પાઠવી હીરા ઉદ્યોગને ચિંતા ન કરવા જણાવાયું છે. અલરોઝાએ ખાતરી આપી છે કે રફની આયાત બંધ કરવામાં નહી આવે. રફ હીરાની આયાત નહીં અટકે તેવી હૈયા ધારણ બાદ ઉદ્યોગકારોએ રાહતનો શ્વાસ જરૂર લીધો છે.પરંતુ રફના ભાવ વધશે તો ઇકોનોમી પર ઘેરી અસર પડવાની પણ ભીતિ વ્યક્ત કરાઈ છે.સાથોસાથ જો બેન્કિંગ સેવાઓ બંધ થાય તો વ્યાપાર પર માઠી અસર થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે છઠ્ઠો દિવસ
રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે છઠ્ઠો દિવસ છે, ઉપરાંત ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત સ્વદેશ પહોંચાડવાના ઓપરેશન ગંગામાં પણ ઝડપી કામ હાથ ધર્યું છે. જે અંતર્ગત હવે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એક અડવાઈઝ આપી દીધી છે. જેમાં તમામ ભારતીયોને કહેવામાં આવ્યું છે કે, તેઓ તાત્કાલિક ધોરણ યુક્રેનની રાજધાની કીવને ખાલી કરી દે. ભારતીય નાગરિકોએ આજના દિવસમાં કીવને ખાલી કરવું પડશે અને અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થવા આદેશ આપી દેવામાં આવ્યા છે.
રશિયાએ જે રીતે યુક્રેન પર આક્રમણ કર્યું છે, તેને લઈને યુક્રેનમાં ભારે સંકટની ઘટી આવી પડી છે. જેમાં કેટલાય ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ ફસાયા છે. ભારતીય નાગરિકોને સહીસલામત પાછા લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ સતત કાર્યરત છે.
પીએમ મોદીએ કમાન હાથમાં લીધી
આમ તો યુક્રેનમાં કેટલાય દેશોના નાગરિકો ફસાઈ ચુક્યા છે, પણ પોતાના લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત દુનિયામાં સૌથી વધારે એક્ટિવ ઓપરેશન ચલાવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી કેબિનેટના ચાર મંત્રીઓએ મોર્ચો સંભાળ્યો છે. એર ઈંડિયાની ફ્લાઈટ યુક્રેનથી ભારતીયોને સ્વદેશ લાવવાના મિશનમાં સતત ફ્લાઈટ ઉડી રહી છે. હવે ઈંડિગો, એર ઈંડિયા એક્સપ્રેસ અને સ્પાઈસ જેટ પણ ઓપરેશન ગંગામાં શામેલ થઈ ગયા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને હંગેરી, રોમાનિયા અને પોલેન્ડના રસ્તેથી ફ્લાઈટ મોકલીને મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. તો આવો જાણીએ યુક્રેન સંકટ દરમિયાન ઓપરેશન ગંગા કેવી રીતે દુનિયાનું સૌથી મોટું બચાવ અભિયાન બની ચુક્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh