બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / RSS functionaries in Kutch before the Lok Sabha elections
Priyakant
Last Updated: 10:56 AM, 3 November 2023
RSS Executive Meeting In Kutch : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારિણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, સર સંઘચાલક મોહન ભાગવતની અધ્યક્ષતામાં આજથી ત્રિ-દિવસીય કાર્યકારિણી બેઠકનું આયોજન કરાયું છે. વિગતો મુજબ ભુજની આર.ડી.વસાણી હાઈસ્કૂલમાં આ બેઠક મળશે. આ બેઠકમાં RSSના મોહન ભાગવત અને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજો જોડાશે.
ભુજની આર.ડી.વસાણી હાઈસ્કૂલમાં આજથી ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારિણીનું આયોજન કરાયું છે. જેમાં RSSના મોહન ભાગવત, સર કાર્યવાહક દત્તાત્રેય હોન્સબોલે, ભૈયાજી જોશી સહિતના આગેવાનો જોડાશે. આ સાથે સુનીલ આંબેકર સહિત 44 પ્રાંતના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે, આ સંઘની કાર્યકારિણી બેઠકમાં ભાગ લેવા દેશભરના 15 હજાર જેટલા સ્વયંસેવકો પહોંચ્યા છે.
ગઈકાલે કરાયું હતું ધ્વજારોહણ
કચ્છના ભુજમાં RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આજે રોજ મળવાની છે. જોકે ગઈકાલે ભુજ ખાતે કચ્છ વિભાગ એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધ્વજા રોહણ કરવામાં આવ્યું. જેમાં રાષ્ટ્રીય સવંયસેવક સંઘના 12 હજાર કાર્યકરો જોડાયા હતા. નોંધનીય છે કે, કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારણી બેઠક મળશે.
મોહન ભાગવતે કચ્છના મહારાણી પ્રીતિ દેવી સાથે મુલાકાત કરી
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારી મંડળની બેઠકમાં હાજરી આપવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પણ આવી પહોંચ્યા હતા. મહત્વનું છે કે, બેઠક પહેલા મોહન ભાગવતે કચ્છના મહારાણી પ્રીતિ દેવી સાથે મુલાકાત કરી હતી. આ રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકમાં 44 પ્રાંતના 400 સ્વયંસેવકો હાજરી આપશે. કચ્છની સરહદો પરથી હિન્દુઓની હિજરત રોકવા બેઠકમાં મંથન કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh