બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Rouse Avenue court rejects bail plea of AAP Minister Satyendar Jain and 2 others
Hiralal
Last Updated: 03:44 PM, 17 November 2022
આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સત્યેન્દ્ર જૈનને દિલ્હીની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. આજે રાઉઝ એવન્યુ કોર્ટે મની લોન્ડ્રિંગ કેસમાં જૈન અને અન્ય બેની જામીન અરજી ફગાવી દીધી હતી. તેમની સાથે વૈભવ અને અંકુશ જૈન પણ આરોપી છે. તેમની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. આ કેસમાં આજે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. જામીન ન મળવાના કારણે સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે. જૈન હાલમાં તિહાર જેલમાં બંધ છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. કોર્ટે આજે બપોરે 2 વાગ્યે પોતાનો ચુકાદો આપ્યો હતો. અગાઉ કોર્ટે આ નિર્ણય મોકૂફ રાખ્યો હતો. સવારથી જ તેને જામીન મળશે કે નહીં તે અંગે ચર્ચા ચાલી રહી હતી. આ પહેલા કોર્ટે આદેશની તૈયારી ન થવાના કારણે નિર્ણય ટાળી દીધો હતો. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
Delhi | The Rouse Avenue Court dismisses bail plea of Delhi Minister Satyendar Jain and two others in the money laundering case. Jain was arrested on May 30th under sections of the Prevention of Money Laundering Act by Enforcement Directorate.
— ANI (@ANI) November 17, 2022
(File photo) pic.twitter.com/w1uSWANc4S
30 મેના દિવસે થઈ હતી ધરપકડ
જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
મંત્રી બન્યો એટલે મારી ધરપકડ કરાઈ- જૈને કહ્યું હતું
જૈને કહ્યું હતું કે, મંત્રી બનવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે, નહીં તો તેમણે કશું ખોટું કર્યું નથી. તેમણે જામીન માટે તેમના સ્વાસ્થ્યના કારણો ટાંક્યા હતા. તેમણે કોર્ટને એમ પણ કહ્યું હતું કે તપાસ એજન્સીઓ (સીબીઆઈ અને ઈડી) પાસે તેમની સામે કોઈ નક્કર પુરાવા નથી, તેથી તેમને કસ્ટડીમાં ન રાખવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી ન્યાયિક કસ્ટડીમાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh