બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Rickshaw drivers strike for 36 hours against CNG price hike
Kiran
Last Updated: 11:41 AM, 16 November 2021
ગઈ કાલ રાતથી રાજ્યમાં ભરમાં રિક્ષા ચાલકોએ 36 કલાક માટે રિક્ષાઓની હડતાળ હોવાની ચીમકી આપી હતી, પરતું રિક્ષા ચાલકોનું આંદોલન બે ભાગમાં વહેંચાઈ જતા રિક્ષા ચાલકોના આંદોલનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમદાવાદમાં કેટલાક રિક્ષા ચાલકોએ રાબેતા મુજબ રિક્ષા શરુ છે જેમાં રિક્ષા ચાલકો જણાવી રહ્યા છે કે રિક્ષા નહીં ચલાવીએ અને આંદોલન કરીશું તો કેવી રીતે કમાઈશું, જ્યારે કેટલાક રિક્ષા ચાલકો પોતાની માંગ સાથે આંદોલનમાં જોડાયા છે અને હડતાળ યથાવત રાખી રહ્યા છે. હાલ તો રિક્ષા ચાલકોએ 36 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે, જે બાદ રિક્ષા યુનિયનને 21 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
રિક્ષાચાલક હડતાળને મિશ્ર પ્રતિસાદ
રિક્ષા યુનિયનની હડતાળને અમદાવાદ ખાતે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે રિક્ષા ચાલકોમાં બે ભાગલા પડ્યા છે. ગીતામંદિર- કાલુપુર રેલવે સ્ટેશને રિક્ષા ચાલુ છે જ્યારે અમદાવાદના અમુક જ રિક્ષા એસો. હડતાળમાં જોડાયા છે. CNGના ભાવ વધારાને લઇને રિક્ષા ચાલકોએ હડતાળનું એલાન આપ્યા બાદ રાત્રિના 12 વાગ્યાથી રિક્ષા ચાલકોની હડતાળ શરૂ થઇ છે. અમદાવાદ સહિત રાજ્યના રિક્ષાચાલકોનાં વિવિધ એસોસિયેશનો-સંગઠનોએ વિવિધ માંગોને લઈ હડતાડ કરી રહ્યા છે, જેમાં CNGનો ભાવવધારો પાછો ખેંચવા રિક્ષા ચાલકો પર થતા પોલીસ અત્યાચાર, સહિત વિવિધ મુદ્દાઓ પર રિક્ષા ચાલકોએ હડતાળનો રસ્તા અપનાવ્યો છે. મહત્વનું છે કે અગાઉ રિક્ષાચાલકના પ્રતિનિધિઓ અને ટેક્સીચાલકના પ્રતિનિધિઓની બેઠક પણ યોજાઇ હતી. 12 નવેમ્બરે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રેલવે- બસ સ્ટેશને રિક્ષા ચાલુ
રિક્ષાચાલક સમિતિની મુખ્ય માગ છે કે CNGના ભાવ ઘટાડવા આવે. બીજાં રાજ્યોની જેમ કોરોના બાદ આર્થિક સહાય આપવામાં આવે એસોસિયેશન કહે છે કે પેટ્રોલ-ડીઝલમા વેટ ઘટાડીને ભાવ ઘટે તો CNGના ભાવમા કેમ નહીં. રિક્ષાચાલકો અને ટેક્સીચાલક પ્રતિનિધિઓનું કહેવું છે કે CNGમાં પ્રતિ કિલો રાજ્ય સરકાર 15 ટકા વેટ વસૂલે છે, જ્યારે કેન્દ્ર 14 ટકા એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે, જેથી CNGના ભાવમાં રૂપિયા 20થી 25 રૂપિયા ટેક્સ વસૂલાય છે. જેથી પ્રતિ કિલો 9 રૂપિયાનો ઘટાડો CNGના ભાવમાં કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે.
કેટલાક યુનિયનો જ હડતાળમાં જોડાયા
રાજ્યમાં આજે રિક્ષા ચાલકોને હડતાળ છે ત્યારે અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયનના કન્વીનર વિજય મકવાણાનું નિવેદન સામે આવ્યું છે, તેમણે જણાવ્યું કે રાજ્યભરમાં અનેક યુનિયનો હડતાળમાં જોડાયા જ્યારે ભાજપના મળતિયાઓ વિરોધ કરી હોવાનું વિજય મકવાણાએ જણાવ્યું છે વધુમાં રિક્ષાચાલકોના પ્રશ્નો બાબતે વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી, માત્ર બે-ત્રણ લોકોને બોલાવીને ભાડાવધારા અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. આ તરફ રાજ્ય સરકારે મિનિમમ ભાડામાં વધારો કરતા નિર્ણય સુરત સહિત દક્ષિણ ગુજરાતના રિક્ષા ચાલકો હડતાળમાં નહી જોડાય તેવું પણ મનાઈ રહ્યું છે સરકારે કિલોમીટર દીઠ મિનિમમ ભાડામાં રૂ.3નો કરવામાં આવ્યો છે જેથી સુરતમાં રિક્ષા ચાલકો હડતાડમાં નહીં જોડાય તેવું જણાવી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh