બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishnu
Last Updated: 10:45 PM, 28 March 2022
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે રાજ્યમાં જ્યાં પણ સરકારી જમીનો પર દબાણ હોય તો આવા દબાણોની ત્વરિત માપણી કરીને દબાણો દુર કરવા વહીવટી તંત્રને સૂચના આપી દેવાઇ છે.
ભરૂચમાં ગેરકાયદે ઝીંગા ફાર્મ દૂર કરાયા
આજે વિધાનસભા ખાતે ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ઝીંગા ફાર્મ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરીને ઝીંગા ફાર્મ ઉભા કરાયેલ પૈકી ૪૩,૦૭૨ ચો.મી. જમીનના ૫ તળાવો દૂર કરવાના બાકી હતા તે આજની તારીખે દૂર કરી દેવાયા છે. ભરૂચ જિલ્લામાં ઝીંગા ફાર્મ માટે ૭ સહકારી મંડળીઓ તથા ૪૬ વ્યક્તિગત કિસ્સા મળીને કુલ ૫૩ કિસ્સામાં ઝીંગા ફાર્મ માટે જમીન ફાળવવામાં આવી છે.
ઝીંગા ફાર્મ માટે જમીન ભાડાપટ્ટે આપવા શું હોય છે નિયમ?
ઝીંગા ફાર્મ માટે જમીન ભાડાપટ્ટે આપવા અંગેના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે ઝીંગા ફાર્મના નિર્માણ માટે પ્રથમ તબક્કે ૨૦ વર્ષ માટે જમીન ભાડાપટ્ટે અપાય છે ત્યારબાદ પુનઃ જમીન ફાળવણી કરવાની થાય તો જે તે કલેકટર દ્વારા જમીન ફાળવી હોય તેની સંપૂર્ણ ખાતરી બાદ બીજા ૧૦ વર્ષ સુધી લંબાવી શકાય છે અને ત્યારબાદ પણ લંબાવવા માંગણી આવે તો રાજ્યકક્ષાએથી મંજૂરી મેળવવાની હોય છે ત્યાર બાદ જમીન ફાળવવામાં આવે છે.
રાજ્યમાં સરકારે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યાઃ ધાનાણી
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્યમાં સરકારે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યા છે જે દબાણમાં આવતા હતા. પણ રાજ્યમાં ઝીંગા ફાર્મના ગેરકાયદેસર દબાણ દૂર કેમ કરવામાં આવતા નથી આવતાએ એક યક્ષ પ્રશ્ન છે, સાથે જ સવાલ પણ કર્યો હતો કે સરકારને ઝીંગા ફાર્મમાં શુ રસ છે તે જવાબ આપે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh