બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Reliance Life Insurance Company Insurance Passing Scam in Dwarka
Malay
Last Updated: 02:52 PM, 23 May 2023
દ્વારકામાં જીવિત વ્યક્તિનો મરણનો દાખલો બનાવી વીમો પાસ કરાવવાનું કૌભાંડ સામે આવતા ભારે હડકંપ મચી ગયો છે. આ કૌભાંડને લઈને 6 લોકો સામે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં છે. જે બાદ SOGની ટીમે આ 6 પૈકી પાંચની અટકાયત કરી છે.
Dwarka News: વીમો પાસ કરાવવાનું કૌભાંડ, જીવિત વ્યક્તિનો વીમો પાસ કરાવ્યો #gujarat #dwarka #insurance #vtvgujarati pic.twitter.com/UqIXFp4x0x
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 23, 2023
6 લોકો વિરુદ્ધ SOGમાં ફરિયાદ
રિલાયન્સ નીપોન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીમાં 45 જેટલા આસામીઓના બોગસ ડેથ સર્ટિફિકેટ રજૂ કરી અને વીમા માટે કુલ રૂપિયા 1.03 કરોડની રકમના ખોટા ડેથ ક્લેમ મૂકવા બદલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મુંબઈના બાંદ્રા ખાતે આવેલી રિલાયન્સ નિપોન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીમાં ડેપ્યુટી મેનેજર વાસુદેવભાઈ દ્વારા ખંભાળિયાની રિલાયન્સ ઈન્સ્યોરન્સ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા ધના રામ નંદાણીયા, ખીમા ચાવડા અને મુકેશ ભરવાડ સહિત અન્ય 3 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કરોડોની રકમ ડેથ ક્લેમ કરાઈ
ફરિયાદ મુજબ સેલ્સ મેનેજર મુકેશ ભરવાડ, ધના નંદાણીયા તથા ખીમા ચાવડાએ પોતાના અંગત ફાયદા માટે વીમાધારકોના મરણ અંગેના બનાવટી દાખલા અને દસ્તાવેજ બનાવ્યા હતા. જેનો ઉપયોગ કરીને ખોટા ડેથ ક્લેમ મૂકીને કુલ 1.03 કરોડ રૂપિયાની રકમ ડેથ ક્લેમ કરવામાં આવી હતી.
SOGની ટીમે 5 શખ્સોની કરી અટકાયત
ડેપ્યુટી મેનેજર વાસુદેવભાઈની ફરિયાદના આધારે SOGની ટીમે કુલ પાંચ આરોપીઓની અટકાયત કરી છે. ટીમે રામ મચ્છા મુંધવા, ભરત દેવાત નંદાણીયા, ધના રામ નંદાણીયા, રાજેશ મગન જગતિયા અને અરજણ આંબલીયા નામના પાંચ શખ્સોની અટકાયત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh