બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 09:17 PM, 4 April 2023
Move on after Breakup: જ્યારે એક છોકરો અને છોકરી પ્રેમમાં હોય છે ત્યારે તેમને એવુ લાગે છે કે તેમની પાસે દુનિયાની બધી ખુશીઓ હોય છે. લોકો તેમના પાર્ટનર સાથે હરેફરે છે, મૂવી વગેરે પ્લાન બનાવે છે. બંનેનો પ્રેમ ગાઢ બની જાય છે. પરંતુ અચાનક જો કોઈ મોટા કારણથી કે અન્ય કોઇ ઇશ્યુના લીધે અલગ થવુ પડી શકે છે. જેમ કે, રિલેશનશિપમાં હોય ત્યારે છેતરપિંડી કરવી, એકબીજાની અવગણના કરવી, તમારા સંબંધને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવો, એકબીજાને પૂરતો સમય ન આપવો અથવા પરસ્પર સમજણના અભાવે, બોન્ડિંગ, એટેચમેન્ટ, કેમિસ્ટ્રીનો અભાવ વગેરેના કારણે બ્રેકઅપ થાય છે. આવી સ્થિતિમાં પ્રેમીઓ ખૂબ જ દુઃખી થઈ જાય છે.
બ્રેકઅપને કારણે ઘણા લોકો ડિપ્રેશનમાં જતા રહે છે. તેમને એવુ લાગે છે કે દુનિયામાં તે એકલા જ છે, અંદરથી ભાગી પડે છે. આવી સ્થિતિમાં તે આ બધું ભૂલીને જીવનમાં આગળ વધે તે ખૂબ જ જરૂરી છે. ચાલો આજે એવી ટિપ્સ જણાવીએ, જે બ્રેકઅપના દુઃખમાંથી બહાર આવવામાં મદદ કરશે.
1. જૂની યાદોથી દૂર રહોઃ બ્રેકઅપ પછી તમામ પ્રકારની જૂની યાદોથી દૂર રહેવું જરૂરી છે. તમારે તમારા ભૂતકાળ વિશે વિચારવાનું બંધ કરવું જોઈએ. બધી સારી અને ખરાબ જૂની યાદો તમને હંમેશા તણાવથી ઘેરી શકે છે. આ માટે, તમારા જૂના સંબંધ સાથે જોડાયેલી તમામ વસ્તુઓને દૂર કરવી જોઇએ, અને તમારા કાર્યોમાં ધ્યાન આપવુ જોઇએ.
2. મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો: બ્રેકઅપ પછી મનમાં વિવિધ વિચારો આવે છે. એટલા માટે બ્રેકઅપ પછી એકલા રહેવાનું ટાળવું જોઇએ. પરિવાર અને નજીકના મિત્રો સાથે સમય વિતાવવો એ બ્રેકઅપ પછી તણાવમુક્ત રહેવાનો બેસ્ટ રસ્તો છે. બ્રેકઅપ પછી તમારા વિચારોને સકારાત્મક રાખો અને તમારા વિચારો પરિવાર સાથે શેર કરો. તે તમને સારું ફિલ થશે.
3. રમુજી ટીવી શો જુઓ: કેટલાક લોકો બ્રેકઅપ પછી ખાવા-પીવાનું બંધ કરી દે છે, આવી ભૂલ ક્યારેય ન કરો. તેનાથી તમે શારીરિક રીતે નબળાઇ આવી જાય છે. બ્રેકઅપ પછી જીવનમાં આગળ વધવું હોય તો પૌષ્ટિક ખાઓ, સારી વસ્તુઓ વિચારો, મન સેટ કરવા માટે તમારું મનપસંદ કામ કરો, શોખ પૂરો કરો, રમુજી ટીવી શો જુઓ, તેનાથી તમારો મૂડ હળવો થશે.
4.તમારા વિચારો શેર કરો: મોટાભાગના લોકો બ્રેકઅપ પછી તણાવ અને ડિપ્રેશનની સ્થિતિમાં આવી જાય છે, કારણ કે તેઓ પોતાને એકલા અનુભવે છે અને તેમના વિચારો કોઈની સાથે શેર કરી શકતા નથી. પરંતુ બ્રેકઅપ પછી ટેન્શન ફ્રી રહેવા માટે તમારી લાગણીઓને શેર કરવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે તમારા મનમાં જે હોય તે તમારા મિત્રો અને નજીકના લોકો સાથે શેર કરો.
5. યોગ કે કસરત કરોઃ બ્રેકઅપ વ્યક્તિ માનસિક રીતે થાકી જાય છે. આવી સ્થિતિમાં, યોગ અને ધ્યાન માનસિક તણાવને દૂર કરવામાં મદદ કરે છે. બ્રેકઅપ પછી ટેન્શનમાં બેસી જવાને બદલે તમે યોગ અને કસરત દ્વારા તમારી જાતને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવી શકો છો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh