બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / rbi tightens norms for unsecured loan not easy to take credit card and personal loan

RBI norms / હવેથી ક્રેડિટ કાર્ડ-પર્સનલ લોન લેવામાં થશે મુશ્કેલી, RBIએ નિયમો કર્યા કડક

Manisha Jogi

Last Updated: 10:01 AM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રેડિટ કાર્ડ બનાવવાનું અને પર્સનલ લોન લેવી મુશ્કેલ થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેન્કે નિયમોમાં ફેરફાર કર્યો છે. અનસિક્યોર્ડ લોન પોર્ટફોલિયોના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  • ભારતીય રિઝર્વ બેન્કે નિયમોમાં ફેરફાર કર્યો
  • અનસિક્યોર્ડ લોન પોર્ટફોલિયોના નિયમોમાં ફેરફાર
  • પર્સનલ લોન લેવી મુશ્કેલ થઈ શકે છે

અનેક લોકો નાણાંકીય જરૂરિયાત પૂર્ણ કરવા માટે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ભારતીય બેન્ક અને નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન જેવા અનસિક્યોર્ડ લોન જાહેર કરે છે. ક્રેડિટ કાર્ડ બનાવવાનું અને પર્સનલ લોન લેવી મુશ્કેલ થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેન્કે નિયમોમાં ફેરફાર કર્યો છે. RBIએ બેન્ક અને નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીના અનસિક્યોર્ડ લોન પોર્ટફોલિયોના નિયમોમાં ફેરફાર કર્યો છે. 

RBI નિયમ
RBIના નિયમ અનુસાર બેન્ક અને નોન બેન્કિંગ કંપનીઓએ અનસિક્યોર્ડ લોન પોર્ટફોલિયો માટે અલગથી વધુ મૂડી રાખવી પડશે. આ મૂડી અગાઉ કરતા 25 ટકા વધુ હશે. બેન્ક અને નોન બેન્કિંગ કંપનીઓ તરફથી 10 ટકા અલગ મૂડી રાખવામાં આવતી હતી અને હવે 125 ટકા મૂડી અલગથી રાખવાની રહેશે, બેન્કોએ 5 લાખ રૂપિયાની પર્સનલ લોન આપી હોય તો તે માટે 5 લાખ રૂપિયા અલગથી રાખવામાં આવતી હતા. હવે બેન્ક પાંચ લાખ રૂપિયાની લોન આપશે તો 6 લાખ 25 હજાર રૂપિયા અલગથી રાખવા પડશે. 

નિયમોમાં ફેરફાર શા માટે કરવામાં આવ્યો?
છેલ્લા ઘણા સમયથી પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડમાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત ડિફોલ્ટના કેસ પણ સામે આવી રહ્યા છે. યોગ્ય સમયે પેમેન્ટ કરવામાં આવતું નથી. જેથી RBIએ આ નિયમોમાં ફેરફાર કર્યો છે. 

ગ્રાહકો પર અસર
નિયમોમાં ફેરફાર થવાથી બેન્ક અને નોન બેન્કિંગ કંપનીઓએ અનસિક્યોર્ડ લોન પોર્ટફોલિયો માટે અલગથી વધુ મૂડી રાખવી પડશે. જેથી બેન્ક અને નોન બેન્કિંગ કંપનીઓ પાસે અનસિક્યોર્ડ લોન માટે ઓછા પૈસા બાકી રહેશે અને ગ્રાહકોને આ પ્રકારની લોન લેવામાં સમસ્યા થઈ શકે છે. બેન્ક અને ABFC કેટલાક ક્રાઈટેરિયા પણ નક્કી કરી શકે છે.

કઈ લોન પર નિયમ લાગુ નહીં થાય
 અનસિક્યોર્ડ લોનમાં પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ હોય છે. સિક્યોર્ડ લોનમાં હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન અને પ્રોપર્ટી લોન હોય છે. આ કારણોસર આ લોન સિક્યોર્ડ લોન હોય છે, જેના બદલામાં બેન્ક પાસે કંઈક ગીરવે રાખવામાં આવે છે. આ નિયમ માત્ર અનસિક્યોર્ડ લોન પર લાગુ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ