બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Rapist Asaram and Narayan Sai apply for bail in HC, prosecutor says
Mehul
Last Updated: 05:55 PM, 1 November 2021
પોતાના કુકર્મોથી દેશભરમાં કુખ્યાત થયેલા આસારામ અને નારાયણ સાઈ સાધુતાના વેશમાં કેવા પાપાચાર આચરતા હવે તે આખું જગત જાણે છે. 2008 દીપેશ-અભિષેક નામના અમદાવાદના રાણીપ વિસ્તારના બાળકો આસારામ આશ્રમના ગુરુકૂળમાંથી ગૂમ થયા,અને બે દિવસમાં બાળકોની લાશ સાબરમતી નદીના તટ પરથી મળી આવી હતી. આસારામ અને તેનો પુત્ર નારાયણ સાઈ 2013માં એક દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ છે.ત્યારે,બંનેની જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.આ અરજી પર સુનાવણી 26 નવેમ્બરે થશે.
હાઈકોર્ટે માંગ્યો મેડીકલ રીપોર્ટ
બગલો અને ઢેલ ઉપનામધારી મહિલાઓની આડમાં આસારામ પોતાના આશ્રમમાં આવતી યુવતીઓને ભોળવી,પટાવી અને ક્યારેક ધાક-ધમકીથી યૌન શોષણ કરતો હતો. તો નારાયણ સાઈ પોતાના પેઢમાલા આશ્રમમાં યુવતીઓને ગોપીનો વેશમાં રાખી વૃંદાવન રાસ રચતો હોવાના આક્ષેપો પણ થયા હતા. આસારામની ઉમર હવે 82 વર્ષની છે ત્યારે,તેમણે અને પુત્ર નારાયણે મેડીકલ ગ્રાઉન્ડ પર જામીન માંગ્યા છે. હાઈકોર્ટે બંનેનો તાજો મેડીકલ રીપોર્ટ આપવા જણાવ્યું છે. આસારામના વકીલનું કહેવું છે કે, SCના નિર્દેશ મુજબ 8 વર્ષથી જેલમાં હોવાથી જામીન મળવાપાત્ર છે. બંન્નેની તબિયત નાદુરસ્ત હોવાથી જામીન મળવા જોઇએ
આસારામના ઇશારે વૈધ અમૃત પ્રજાપતિની હત્યા
2008 માં આસારામ આશ્રમના ચાલતી ગેરરીતિ અને આશ્રમ સાથે આસારામનાં તમામ રાઝ જાણનારા લોકો,આશ્રમમાંથી અલગ થયા બાદ મોં ખોલવા લાગ્યા હતા.ત્યારે, આસારામે એક-એકને સાફ કરી નાખવા મેદાને પડ્યા હતા તેવો પણ આરોપ લાગ્યો હતો .પછી તે રાજુ ચાંડક હોય કે વૈધ અમૃત પ્રજાપતિ.રાજુ ચાંડક પર ફાયરિંગ કરાવ્યું અને વૈધ અમૃત પ્રજાપતિ પર હૂમલા કરાવ્યા બાદ, રાજકોટમાં અમૃત પ્રજાપતિની હત્યા કરાવવાનો આરોપ પણ આસારામ પર જ છે. 2013માં દુષ્કર્મના ગુના હેઠળ આસારામની ધરપકડ કરવામાં આવી હતી. બંનેની જામીન અરજી પરની સુનાવણી હવે 26 નવેમ્બરના હાથ ધરાશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh