બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Ram Mandir: Abhishekam of Ramlala's life will be held on January 22, PM Modi will attend the grand event
Pravin Joshi
Last Updated: 08:20 PM, 25 October 2023
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં થશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ લેશે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ માહિતી આપી હતી. આ અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. તેમણે કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ તેમને મળવા આવ્યા હતા અને તેમને તેમની પ્રાણ પ્રતિષ્ઠાના અભિષેક માટે અયોધ્યા આવવા આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે તેઓ આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે ભાગ્યશાળી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, આજનો દિવસ લાગણીઓથી ભરેલો છે. હમણાં જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા. તેઓએ મને શ્રી રામના અભિષેક પ્રસંગે અયોધ્યા આવવા કહ્યું. મને આમંત્રણ આપવામાં આવ્યું છે. હું ખૂબ જ ધન્ય અનુભવું છું. એ મારું સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં હું આ ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બનીશ.
जय सियाराम!
— Narendra Modi (@narendramodi) October 25, 2023
आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है।
मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા આરતી ઉતારશે
રામ મંદિરમાં ભગવાન રામલલાને બિરાજમાન કરવા માટે તિથિ ને મુહૂર્ત નક્કી કરવામાં આવ્યા છે. 16થી 24 જાન્યુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન કરવામાં આવશે. અભિજીત મુહૂર્તમાં રામલલા મૂળ ગર્ભગૃહમાં સિંહાસન પર બિરાજમાન હશે. દક્ષિણ અને ઉત્તર ભારતના 51 વૈદિક આચાર્ય અનુષ્ઠાન કરશે. આ દરમિયાન રામલલાને ગાય અને ગજ દર્શન કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલા પાલકી યાત્રાથી નગર ભ્રમણ માટે નીકળશે. રામલલા બિરાજમાન થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલા આરતી ઉતારશે. આ દરમિયાન દેશ-વિદેશના મહેમાન અને સાધુ સંતો હાજર રહેશે. રામ મંદિરનું ઉદઘાટન કોણ કરશે, તે નક્કી કરવામાં આવ્યું નથી.
દરરોજ 6 વાર રામલલાની આરતી કરવામાં આવશે
રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું છે કે, દેશના કેટલાક ધર્માચાર્યો સાથે ચર્ચા કર્યા પછી રામલલાની નિત્ય પૂજા અર્ચનાની વ્યવસ્થા કરવામાં આવી છે. કારસેવકપુરમમાં તીર્તક્ષેત્ર ટ્ર્સ્ટની બેઠક દરમિયાન રામલલાની પૂજા અર્ચનાના ક્રમમાં કેટલાક મહત્ત્વપૂર્ણ સૂચન આપવામાં આવ્યા છે. રામલલાનો દરરોજ સરયૂ જળથી અને પંચામૃતથી અભિષેક કરવામાં આવશે. સરયૂ જળ લાવવાની વ્યવસ્થા બાબતે પણ વિચારણાં કરવામાં આવશે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી દરરોજ છ આરતી કરવામાં આવશે. પહેલી આરતી રામલલાને જગાડવાની સાથે, બીજી આરતી સ્નાન કર્યા પછી, ત્રીજા આરતી રાજભોગ સમયે, ચોથી આરતી બપોરે રામલલાને જગાડવાની સાથે, પાંચમી આરતી સાંજે અને છઠ્ઠી આરતી રામલલાના સૂવા સમયે કરવામાં આવશે. રામ મંદિરમાં તહેનાત થનાર પૂજારીને પણ તાલીમ આપવામાં આવશે. દરરોજ વેદ મંત્રોના ઉચ્ચારણ પછી ગજ અને ગૌદર્શન કરાવવામાં આવશે.
રામ મંદિરનું નિર્માણ પુરજોશમાં
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે.. મંદિરની કામગીરી લગભગ પૂર્ણતાના આરે છે ત્યારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મહેમાનોને અયોધ્યામાં અભિષેક સમારોહ માટે વહેલા પહોંચવા અને PM મોદીના આગમન પહેલા રામ લલ્લાની પૂજા કરવાની સૂચના આપી છે. મંદિર ટ્રસ્ટ આગામી જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ લાલાના અભિષેક સમારોહમાં આમંત્રિત કરવા માટે અગ્રણી લોકોની યાદી તૈયાર કરી રહ્યું છે. આ યાદીમાં રમતગમત જગતના લોકો, ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ અને IPS અધિકારીઓનો સમાવેશ થાય છે. રામ મંદિર આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યો અને દેશના મુખ્ય મંદિરોના પ્રતિનિધિઓ ઉપરાંત આ યાદીમાં અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ સમુદાયના અગ્રણી સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમને મેગા ફંક્શન માટે આમંત્રિત કરવામાં આવશે.. આ ઉપરાંત ભારતભરમાંથી 4 હજાર સંતો આવવાના છે.
ભવ્ય મહોત્સવ,દિવ્ય ઉત્સવ
કેટલા અતિથિઓને આમંત્રણ?
દર્શન માટેની વ્યવસ્થા કેવી?
દાન માટે શું આયોજન?
સૂર્યતિલક માટે વિજ્ઞાનનો સહારો!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh