બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 12:09 PM, 6 July 2023
Niharika Chaitanya Divorce: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સને લોકો આઈડલ માને છે અને અહીં કેટલાક શ્રેષ્ઠ કપલના ઉદાહરણ પણ આપે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંથી અનેક યુગલો અલગ થઇ ગયા છે. જ્યારે નાગા ચૈતન્ય અને સામંથાએ તેમના અલગ થવાની જાહેરાત કરી, ત્યારે ચાહકો ચોંકી ગયા. ત્યાર બાદ રજનીકાંતના જમાઈ ધનુષ પણ તેમની પુત્રી ઐશ્વર્યાથી અલગ રહેવા લાગ્યા હતા. તેમના છૂટાછેડાના અહેવાલો પણ આવ્યા હતા, પરંતુ પછીથી તેઓએ કોઈપણ કાગળની કાર્યવાહી કર્યા વિના અલગ થવાનો નિર્ણય કર્યો. હવે સાઉથના વધુ એક કપલના અલગ થવાના સમાચાર આવ્યા છે, જેમણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કપલના અલગ થવાના સમાચાર આવ્યા છે.
હકીકતમાં મેગા સ્ટાર રામ ચરણની કઝીન સિસ્ટર અને વરુણ તેજની બહેન નિહારિકા કોનિડેલા વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે એક પોસ્ટ દ્વારા છૂટાછેડા પર મૌન તોડ્યું છે. અભિનેત્રીએ આખરે ચૈતન્ય જોનાલગડ્ડા સાથે અલગ થવા પર પ્રતિક્રિયા આપી છે.
નિહારિકા કોનિડેલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે તેણે અને ચૈતન્યએ અલગ થવાનું નક્કી કર્યું છે અને આગળ વધવા માટે લોકો પાસેથી 'દયા અને સંવેદનશીલતા' માંગી છે. તેમણે દરેકની સમજણ બદલ આભાર પણ માન્યો.
ચૈતન્ય જોનાલગડ્ડા અને નિહારિકા વર્ષ 2020માં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેના લગ્ન ઉદયપુરમાં થયા હતા અને તે ખૂબ જ પ્રખ્યાત લગ્ન હતા. જેમાં અલ્લુ અર્જુન, સ્નેહા રેડ્ડી, ચિરંજીવી સહિત તેના પરિવારના તમામ નજીકના મિત્રો પહોંચ્યા હતા.
નિહારિકાના છૂટાછેડાની અફવાઓને વેગ મળ્યો જ્યારે તેઓએ ઇન્સ્ટાગ્રામ પર એકસાથે ફોટોઝ હટાવી નાખ્યા અને પછી એકબીજાને અનફોલો કરી દીધા. જો કે તેમના અલગ થવાનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ એક રિપોર્ટ એ છે કે, કોર્ટે તેમને છૂટાછેડા આપી દીધા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચૈતન્યએ જ છૂટાછેડા માટે અરજી કરી હતી.
લોકલ મીડિયા રિપોર્ટ મુજબ, એક્સેસ કરાયેલા કથિત કોર્ટ દસ્તાવેજો દાવો કરે છે કે ચૈતન્યએ અગાઉ છૂટાછેડા માટે અરજી કરી હતી. ચૈતન્ય, દસ્તાવેજોમાં અરજદાર તરીકે, ભૂતકાળમાં હૈદરાબાદની કુકટપલ્લી ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ચિરંજીવી અને પવન કલ્યાણની ભત્રીજી, નિહારિકા કોનિડેલાએ જૂનમાં છૂટાછેડાની પ્રક્રિયાનો સંકેત આપ્યો હતો, જ્યારે તેણે લાવણ્યા ત્રિપાઠી સાથે તેના ભાઈ વરુણ તેજની સગાઈમાં હાજરી આપી હતી. કારણ કે અભિનેત્રીએ સમારોહમાં એકલા હાજરી આપી હતી, તેથી સોશિયલ મીડિયા યુઝર્સમાં એવું માનવામાં આવતું હતું કે છૂટાછેડા પહેલેથી જ ચાલી રહ્યા હતા.
નિહારિકા, તેલુગુ ફિલ્મો ઓકા મનસુ અને હેપ્પી વેડિંગમાં તેના કામ માટે જાણીતી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો નિહારિકા બ્રેક લઈને એક્ટિંગમાં પાછી ફરી રહી છે. તે ડિઝની+હોટસ્ટારના ડેડ પિક્સલ્સમાં જોવા મળશે. આ સીરિઝમાં નિહારિકા કોનિડેલા સાથે હર્ષા ચેમુડુ, સાઈ રોનક, અક્ષય લાગુસાની અને ભાવના સાગી જોવા મળશે.
જ્યારે ચૈતન્ય બિટ્સ પિલાની અને ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (ISB) ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જે હૈદરાબાદમાં જાણીતી MNCમાં બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ તરીકે કામ કરે છે, તે ભૂતપૂર્વ IG જે પ્રભાકર રાવનો પુત્ર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh