બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Rajesh Bhushan writes to Chief Secretary all States over the rising trend in other Influenza-like Illnesses

હેલ્થ અપડેટ / કોરોના-ફ્લૂને લઈને આવી ગઈ કેન્દ્રની ગાઈડલાઈન, રાજ્યોને અપાયા મોટા આદેશ, દેશમાં બે વાયરસનું જોર

Hiralal

Last Updated: 03:03 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં એડિનોવાયરસ અને એચ3એન2 વાયરસના કેસ વધી રહ્યાં હોવાથી કેન્દ્ર સરકારે રાજ્યો માટે એક ગાઈડલાઈન બહાર પાડી છે.

  • દેશમાં ફ્લૂ અને કોરોના જેવી બીમારીના વધી રહ્યાં છે કેસ
  • કેન્દ્ર સરકારે ગાઈડલાઈન બહાર પાડીને રાજ્યોને કહ્યું એલર્ટ રહેજો
  • એડિનોવાયરસ અને એચ3એન2 વાયરસના કેસ વધી રહ્યાં છે 

દેશમાં આજકાલ ફ્લૂ અને શ્વાસ સંબંધી બીમારીઓ વધી રહી છે. તે ઉપરાંત એચ3એન2 અને એડિનોવાયરસના કેસ પણ વધી રહ્યાં છે. આ પરિસ્થિતિને કાબુ બહાર જતી અટકાવવા માટે કેન્દ્ર સરકારે આજે એક મહત્વનું કામ કર્યું છે.

ઈન્ફલ્યુએન્ઝા અને શ્વસન રોગો પર સાવધાન 
કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે આજે તમામ રાજ્યોને એક લેટર પાઠવ્યો છે જેમાં તેમને ઈન્ફલ્યુએન્ઝા અને શ્વસન રોગો પર સાવધ રહેવાની તાકીદ કરી છે. દેશમાં હાલમાં H3N2 અને એડિનોવાયરસ એક્ટિવ છે જેને કારણે કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકો આજકાલ તીવ્ર તાવ, શરદી અને ગળામાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા છે. સર ગંગારામ હોસ્પિટલના ડોક્ટર ધીરેન ગુપ્તાએ કહ્યું, "છેલ્લા 6 મહિનામાં વાયરસની પેટર્નમાં જબરદસ્ત ફેરફાર થયો છે. સામાન્ય રીતે, આપણે ઈન્ફલ્યુએન્ઝાને નંબર 1 વાયરસ તરીકે જોઈએ છીએ જે આ રોગનું કારણ બની શકે છે.

કોરોના જેમ ફેલાય છે એડિનોવાયરસ 
એડેનોવાયરસની ગંભીરતા તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું હતું કે અન્ય એક વાયરસ જે ગંભીર રોગ તરફ દોરી રહ્યો છે. "છેલ્લા બે મહિનામાં આઈસીયુમાં દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે એડેનોવાયરસના કેસોમાં વધારો થયો છે. એડેનોવાયરસ વિશે વધુ જણાવતાં ડો.ગુપ્તાએ જણાવ્યું હતું કે ડીએનએ વાયરસ મુખ્યત્વે ઉપલા શ્વસનતંત્ર અને આંખોને અસર કરે છે અને કોવિડની જેમ ફેલાય છે.

ધાવણા માંડીને 2 વર્ષના બાળકને અસર પહોંચાડે છે એડિનો 
બાળકોમાં એડેનોવાયરસ સામાન્ય રીતે શ્વસન અને આંતરડાના માર્ગના ચેપનું કારણ બને છે. ડોક્ટરોએ જણાવ્યું કે, 0-2 વર્ષની વય જૂથના બાળકોમાં સંક્રમણનું સૌથી વધુ જોખમ રહે છે અને 2-5 વર્ષની વય જૂથના બાળકોમાં સંક્રમણનું જોખમ વધારે હોય છે. 5-10 વર્ષની વયના બાળકોને તે (ચેપ) થવાની સંભાવના છે. ડોક્ટરોએ જણાવ્યું કે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં આ વાયરસનો ચેપ લાગવાનું જોખમ ઓછું હોય છે. 
    
દેશમાં હાલમાં કયા બે વાયરસ એક્ટિવ

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર દેશમાં હાલમાં H3N2 અને એડિનોવાયરસ એક્ટિવ છે જે બન્ને વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. 

સફદરજંગ હોસ્પિટલમાં માસ્ક ફરજિયાત 
દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.બી.એલ.શેરવાલે જણાવ્યું હતું કે ઈન્ફલ્યુએન્ઝામાં નોંધપાત્ર વધારો થયો છે. તે કોવિડ જેવો વાયરસ છે.  આવી સ્થિતિમાં, લોકોએ સાવધ રહેવાની જરૂર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, અમે સફદરજંગ હોસ્પિટલના તબીબી કર્મચારીઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્ય ડો.અનિલ ગોયલે જણાવ્યું હતું કે તાવ અને ઉધરસના કેસ, જે એક અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલ્યા હતા, તે સતત વધી રહ્યા છે. 

બચવા માસ્ક પહેરવું જરૂરી 
ડો.બી.એલ.શેરવાલે જણાવ્યું હતું કે, હાલના સમયમાં હવામાનના પરિવર્તન સાથે આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આનો સૌથી સારો ઉપાય માસ્ક પહેરવાનો છે. કોવિડ બાદથી લોકો પહેલાની જેમ હેન્ડવોશિંગ કરતા નથી. આવી સ્થિતિમાં, હાથ ધોવાનું મહત્વપૂર્ણ છે. આ સાથે તેમણે કહ્યું કે ફ્લૂની રસી પણ ખૂબ અસરકારક છે.

એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવાનું ટાળો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે હાલના સમયમાં ગરમીને ધ્યાનમાં રાખીને મોસમી તાવથી બચવું જરૂરી છે. આ દરમિયાન આઈએમએએ ડૉક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિકનું સેવન ન કરવાની ચેતવણી પણ જાહેર કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે શરદી, ખાંસી અને તાવને કારણે લોકોએ જાતે જ એન્ટિબાયોટિક્સનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ