બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Rain is predicted at the temple of Lord Jagannath at Behta Burjag village in Ghatampur
Kishor
Last Updated: 08:20 PM, 25 June 2023
કાનપુરથી આશરે 35 કિલોમીટર દૂર ઘાટમપુરમાં બેહટા બુર્જગ ગામ આવેલું છે. જ્યા ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે. આ મંદિર આજુબાજુના વિસ્તારવાસીઓ માટે આસ્થાના અખૂટ સાગર સમાન છે. જે મંદિરમાં ચોમાસાની અનોખી આગાહી કરવામાં આવે છે. લગભગ 4200 વર્ષ જુના આ મંદિરના છત પરથી જ્યારે પાણી ટપકવા લાગે છે. ત્યારે આગામી સાત દિવસમાં સારો વરસાદ થાય તેવું અનુમાન લગાવવામાં આવે છે અને સારો વરસાદ શરૂ પણ થાય છે.
પાણીના નાના ટીપા પડે તો...
વધુમાં જેટલા વધુ પાણીના ટીપા પડે છે તેટલો જ વધુ વરસાદ પડે તેવું પણ અનુમાન લગાવવામાં આવે છે. અને ખાસ વાત એ છે કે જ્યારે વરસાદ શરૂ થાય છે ત્યારે પાણી નીતરવાનું બંધ પણ થાય છે. વધુમાં પાણીના ટીપાના કદ પરથી પણ વરસાદનો અંદાજ લગાવવામાં આવે છે. જો પાણીના નાના ટીપા પડે તો એનો અર્થ એવો થાય છે કે હળવા વરસાદની આગાહી કરાવી રહી છે. અને પાણીના ટીપાનું કદ નાનું હોય અને પથ્થરનો માત્ર એક બે ભાગ જ ભીનો થાય તો તે સારા વરસાદની નિશાની નથી! બીજી બાજુ જો ગુંજબ પરથી પડતા ટીપાની ઝડપ વધુ સારી હોય તો સારો વરસાદ પડી શકે તેવા સંકેતો વર્તાઈ છે.
કાનપુરના આ મંદિરમાં દર વર્ષે રથયાત્રા
ત્યારે ચાલુ સાલ વરસાદની વાત કરતા મંદિરના પૂજારી કુંગહા પ્રસાદ શુક્લાએ જણાવ્યું હતું કે આ વર્ષે સંપૂર્ણપણે પથ્થર ભીના થયા નથી અને માત્ર એક તરફથી જ પાણીના ટીપા નીતર્યા હતા અને તે પણ જમીનમાં હજુ પડ્યા ન હોવાથી એવું સ્પષ્ટ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સારા વરસાદ માટે હજુ પણ સમય લાગી શકે છે. મહત્વનું છે કે કાનપુરના આ મંદિરમાં દર વર્ષે રથયાત્રા જાજરમાન રીતે ઉજવવામાં આવે છે અને ધામધૂમથી દેશ-વિદેશના લોકો પણ અહીં જોડાય છે. આ વખતે પણ 20મી જૂને ભવ્ય રથયાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું.
આવો છે મતભેદ
જગન્નાથના આ મંદિરને લઈ અને ઇતિહાસકારો તથા પુરાતત્વવિદોમાં નિર્માણ અંગે મતભેદ જોવા મળી રહ્યા છે. ગર્ભ ગૃહમાં કોતરવામાં આવેલી આકૃતિઓ અનુસાર આ મંદિર બીજી અને ચોથી સદીનું હોવાનું જાણવા મળે છે. તો મંદિર બહાર બનેલા મોર અને ચક્રના નિશાનને લઈને કેટલાક લોકો ચક્રવતી સમ્રાટ હર્ષવર્ધનના સમયનુ હોવાનું માનવામાં આવે છે. જોકે ઇતિહાસકારો આ મંદિરને 4000 વર્ષથી જૂનું ગણાવે છે અને 11 મી સદીના મંદિરના છેલ્લા જીર્ણોદ્ધારની માહિતી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh