બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Politics / Rahul Gandhi in Rajasthan talked about his grandmother Indira Gandhi and Adivaasi Samaj
Vaidehi
Last Updated: 06:53 PM, 9 August 2023
રાજસ્થાનમાં આ વર્ષનાં અંતમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. ચૂંટણીથી પહેલાં કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધી રાજસ્થાનનાં બાંસવાડા જિલ્લાનાં માનગઢ ધામ પહોંચ્યાં હતાં. અહીં જનસભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ દાદી ઈન્દિરા ગાંધીની વાતોનો ઉલ્લેખ કર્યો.જનસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસીઓએ અંગ્રેજો સાથેની લડાઈમાં હિન્દુસ્તાનને બનાવવા માટે જે કામ કર્યું છે, જે કુર્બાનીઓ આપી છે તેના માટે હું આદિવાસી સમાજનો દિલથી આભાર માનૂં છું. આજે આદિવાસી દિવસ પણ છે અને તેથી જ હું તમને સૌને શુભેચ્છા પાઠવું છું. આ બાદ રાહુલ ગાંધીએ દાદી ઈન્દિરાની કહેલી વાત જનતા સામે મુકતાં કહ્યું કે,
"હું જ્યારે નાનો હતો, 6-7 વર્ષનો હતો ત્યારે મારા દાદી ઈન્દિરાજીએ મને એક બુક આપી હતી. બુકનું નામ હું- તેંદૂ એક આદિવાસી બાળક. આ બુક એક આદિવાસી બાળકનાં જીવન ઉપર હતી કે તે કેવી રીતે જંગલ જાય છે. ધનુષ-બાણથી માછલી મારે છે. તેના માતા-પિતા અને તેનો પરિવાર કઈરીતે જંગલમાં જીવે છે આ બધું જ એ પુસ્તકમાં લખેલું હતું. હું દાદીની સાથે એ પુસ્તક વાંચતો હતો." તેમણે કહ્યું કે આ વાત 45 વર્ષ જૂની છે.
"આદિવાસીઓ આપણાં દેશનાં પ્રથમ રહેવાસી છે"
તેમણે આગળ કહ્યું કે," મેં દાદીને એક દિવસ પૂછ્યું કે આદિવાસી શબ્દનો શું અર્થ થાય છે. મારા દાદી આદિવાસીઓને ઘણો પ્રેમ કરતી હતી અને તેમની સાથે ઘણો ગાઢ સંબંધ ધરાવતી હતડી. ઈન્દિરાજીએ એ સમયે કહ્યું હતું કે તેઓ હિન્દુસ્તાનનાં પ્રથમ રહેવાસી છે. આ જે આપણી જમીન છે જેને આજે આપણે ભારત કહીએ છીએ એ જમીન આ આદિવાસીઓની જમીન હતી. તેમણે કહ્યું કે આજે આધુનિક સમાજને આદિવાસીઓ પાસેથી જીવન જીવવા વિશે સમજવું જોઈએ. જળ, જંગલ અને જમીન સાથે શું સંબંધ હોવો જોઈએ એ આદિવાસીઓ પાસેથી શીખવું જોઈએ. આ વાત મારા મગજમાં બેસી ગઈ કે આદિવાસી આ દેશનાં પહેલા નિવાસી હતાં."
ભાજપ પર રાહુલે કર્યો પ્રહાર
આ બાદ રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રકાર કરતાં કહ્યું કે ભાજપે એક નવો શબ્દ નિકાળ્યો છે- વનવાસી. વનવાસીનો અર્થ છે કે જે જંગલમાં રહે છે. અમે તમને આદિવાસી કહીએ છીએ. આ સમગ્ર દેશ તમારો છે. અમે ઈચ્છીએ છીએ કે તમે જે પણ કરો છો જ્યાં પણ કરો તમે સફળતા પ્રાપ્ત કરો. ભાજપવાળા કહે છે કે તમે આદિવાસી નથી. તમે હિન્દુસ્તાનનાં પ્રથમ નિવાસી નથી. તેઓ કહે છે તમે આદિવાસી નથી તમે વનવાસી છો. એટલે કે તમે આ દેશનાં માલિક નથી. આ તમારું અપમાન છે. આ ભારત માતાનું અપમાન છે. આ સમગ્ર દેશનું અપમાન છે."
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir