બ્રેકિંગ ન્યુઝ
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Private Travels bus catches fire on Ahmedabad-Vadodara Express Highway
ParthB
Last Updated: 08:28 AM, 7 March 2022
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરની ઘટના
વધુ એકવાર ખાનગી લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ ભડકે બળી હતી. અચાનક આગ લાગતા અફરાતફરીના દૃશ્યો સર્જાયા હતા. ત્યારે બસમાં સવાર તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
બસમાં આગ લાગતા હાઈવે પર દોડધામ મચી
સુત્રોના જણાવ્યા અનુસાર આ બસ અમદાવાદથી બોમ્બે જતી હતી. ત્યારે અચાનક જ બસમાં આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. મહત્વનું છે કે, બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે, બસ સળગતા જ બસચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ પહેલાં સુરતમાં પણ ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં એક યુવતીનું મોત નીપજ્યું હતું.
સુરતમાં પણ બસ સળગવાની દુર્ઘટના બની હતી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતના હીરાબાગ પાસે ભાવનગર જવા નીકળેલી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી. બાદમાં લકઝરી સેવાને કારણે જ શોર્ટસર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ