બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Pravin
Last Updated: 01:57 PM, 15 March 2022
પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય નજતા પાર્ટીની શાનદાર જીત પર આજે પાર્ટીએ સંસદીય દળની બેઠક બોલાવી હતી, જેમાં પીએમ મોદીએ અને જેપી નડ્ડાને સન્માનિત કરવામાં આવ્યા હતા. બેઠકમાં પીએમ મોદીએ વંશવાદ પર ભાજપના સાંસદોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી. પીએમ મોદીએ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાંસદોના દિકરાઓને મારા કહેવા પર ટિકિટ કાપવામાં આવી હતી અને ભાજપ સાંસદોના બાળકોને ટિકિટ ન આપવી તે પાપ છે તો હાં એ પાપ મને મંજૂર છે. અહીં ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં ભાજપ સાંસદ રીતા બહુગુણા જોશીએ પોતાના દિકરા માટે લખનઉની ટિકિટની માગ કરી હતી, પણ તેમને ટિકિટ આપવામાં આવી નહોતી.
PM Modi takes onus for denying tickets to children of BJP leaders, vows fight against dynastic politics: Sources
— ANI Digital (@ani_digital) March 15, 2022
Read @ANI Story | https://t.co/AFftBlBl2F#PMModi #BJP #AssemblyElections2022 pic.twitter.com/UPhTEi5ZBn
ભાજપમાં નહીં ચાલે વંશવાદ
સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે, જો પાર્ટીના કોઈ નેતાની ટિકિટ કપાઈ છે, તો તે મારી જવાબદારી છે. તેમણે સંસદીય દળની બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા માટે ઓપરેશન ગંગા વિશે પણ જાણકારી આપી હતી. પીએમ મોદીએ પોતાના ભાષણમાં સ્પષ્ટ કર્યું છે કે, પાર્ટીમાં વંશવાદને પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. તેમણે સાંસદોને કહ્યું છે કે, ભાજપમાં પરિવારવાદની રાજનીતિ ચલાવી લેવામાં આવશે નહીં. અમે વંશવાદની રાજનીતિની વિરુદ્ધમાં છીએ.
રીતા બહુગુણાના દિકરાને ન મળી ટિકિટ
યુપી વિધાનસભા ચૂંટણી 2022માં ટિકિટ વહેંચણી સમયે ભાજપ સાંસદ રીતા બહુગુણા જોશીએ કેંટ સીટથી દિકરા મયંક જોશીને ટિકિટ અપાવાના ખૂબ પ્રયત્નો કર્યો હતા. ત્યાં સુધી કે, તેમણે કહ્યું હતું કે, જો મારા દિકરાને ટિકિટ નહીં મળે, તો હું સાંસદ પદ છોડી દઈશ. જો કે, ભારતીય જનતા પાર્ટીએ તેમ છતાં પણ ટિકિટ આપી નહોતી. ઉપરાંત ઉત્તરાખંડમાં પૂર્વ ભાજપ નેતા હરક સિંહ રાવત પણ પોતાની વહુ સહિત બે ટિકિટ માગી રહ્યા હતા, પણ પાર્ટીએ તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ આપી નહીં. બાદમાં હરક સિંહ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જતાં રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir