બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ભારત / Politics / PM Modi's big statement, no power in the universe can bring back Article 370 in Kashmir
Priyakant
Last Updated: 11:49 AM, 17 December 2023
PM Modi Statement : જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને હવે સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી દીધી છે. આ પછી વિરોધ પક્ષો સહિત કાશ્મીરના પક્ષોએ કલમ 370 હટાવવા માટે લાંબી લડાઈ લડવાની વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ સુધી આ મુદ્દે સીધું કંઈ કહ્યું નથી. હવે તેમણે એક મોટી ટિપ્પણી કરતા કહ્યું છે કે, બ્રહ્માંડની કોઈ શક્તિ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવી શકે નહીં.
સકારાત્મક રીતે ઉપયોગ કરવાની સલાહ
એક અખબારને આપેલી ખાસ મુલાકાતમાં PM મોદીએ કહ્યું કે, તેઓ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયનો ઉપયોગ સકારાત્મક રીતે કરશે. PM મોદીએ કહ્યું, બ્રહ્માંડની કોઈ શક્તિ હવે કલમ 370 પાછી લાવી શકશે નહીં. તેથી હવે અમે તેનો ઉપયોગ હકારાત્મક કાર્ય માટે કરીશું.
સંસદમાં બનેલી ઘટનાને લઈ શું કહ્યું ?
આ સિવાય PM મોદીએ પણ સંસદમાં બનેલી ઘટનાને ચિંતાજનક ગણાવી અને તેના તળિયે તપાસ કરવાની વાત કરી. વડાપ્રધાને કહ્યું છે કે, સંસદમાં બનેલી ઘટનાની ગંભીરતાને જરા પણ ઓછી ન આંકવી જોઈએ. તેથી જ લોકસભા અધ્યક્ષે સંપૂર્ણ ગંભીરતા સાથે જરૂરી પગલાં લીધાં છે. તપાસ એજન્સી કડક રીતે તપાસ કરી રહી છે. આની પાછળ કયા તત્વો અને ઈરાદાઓ છે તેના ઊંડાણમાં જવું પણ એટલું જ જરૂરી છે. વિપક્ષોને સલાહ આપતાં તેમણે કહ્યું, આપણે પણ એક દિમાગથી ઉકેલ શોધવો જોઈએ. દરેક વ્યક્તિએ આવા વિષયો પર ચર્ચા કે પ્રતિકાર ટાળવો જોઈએ.
લોકોના દિલ જીતવું વધુ પ્રાથમિકતા: PM મોદી
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હિન્દી પટ્ટાના 3 રાજ્યોમાં ભાજપની શાનદાર જીત અંગે પૂછવામાં આવેલો પ્રશ્ન તેના જવાબમાં PM મોદીએ કહ્યું કે, તેમના માટે સીટોની ગણતરી કરતા લોકોના દિલ જીતવું વધુ પ્રાથમિકતા છે. તેણે કહ્યું, હું આ માટે સખત મહેનત કરું છું અને જનતા તેના માટે ચૂકવણી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir