બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / PM Modi's address in the Rajya Sabha today, yesterday the opposition in the Lok Sabha was taken lightly
Priyakant
Last Updated: 09:36 AM, 9 February 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદના ચાલુ બજેટ સત્ર દરમિયાન આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ માટે આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે બુધવારે પ્રસ્તાવ પર છેલ્લા સ્પીકર બોલ્યા પછી કહ્યું કે, વડાપ્રધાન આવતીકાલે (ગુરુવારે) બપોરે 2 વાગ્યે જવાબ આપશે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા બુધવારે સમાપ્ત થઈ ગઈ.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્રના પહેલા દિવસે 31 જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી. આ પહેલા બુધવારે પીએમ મોદીએ લોકસભામાં જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના કાર્યકાળની ખામીઓને ગણીને PM મોદીએ ગૃહમાં પોતાની વાત રાખી. સાથે જ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે PM મોદીના જવાબમાં ક્યાંય પણ અદાણીનો ઉલ્લેખ નથી.
#WATCH | In 2010 CWG games were held, it was a big opportunity to show the strength of India's youth to the world but due to scam, India became infamous in the world. The decade before 2014 will be known as lost decade & we can't deny that 2030s decade is India's decade: PM Modi pic.twitter.com/z6xBVzwHUH
— ANI (@ANI) February 8, 2023
PM મોદીએ કઈ પણ મુદ્દાનો જવાબ આપ્યો નથી: રાહુલ
PM મોદીના ભાષણ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર મીડિયા સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, PM મોદીએ કોઈપણ મુદ્દા પર જવાબ આપ્યો નથી. અદાણી કેસ પર PM મોદીએ કશું કહ્યું ન હતું. PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને કંઈ કહ્યું ન હતું. એવું લાગે છે કે, PM મોદી બધાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આંતકવાદીઓને આપ્યો હતો વળતો જવાબ
જમ્મૂ-કાશ્મીરનાં લાલ ચોકમાં હું ત્રિરંગો લહેરાવવાનો સંકલ્પ લઈને ચાલ્યો હતો. ત્યારે ત્યાં આતંકવાદીએ ત્યાં પોસ્ટર લગાડ્યાં હતાં કે જોઈએ... જેણે પોતાની માનું દૂધ પીધું હશે તે લાલચોકમાં આવીને ત્રિરંગો ફરકાવે છે. "ત્યારે મેં જમ્મૂમાં કહ્યું હતું કે આતંકવાદીઓ કાન ખોલીને સાંભળજો...26 જાન્યુઆરીનાં બરાબર 11 વાગ્યે હું લાલ ચોક પહોંચીશ, વગર સિક્યોરિટી આવીશ, બુલેટ પ્રૂફ જેકેટ વગર આવીશ અને ત્યારે જોશું કે કોણે માનું દૂધ પીધું છે..."
"Unfurled Tricolour at Lal Chowk without bulletproof jacket..." PM Modi recalls Ekta Yatra in Lok Sabha
— ANI Digital (@ani_digital) February 8, 2023
Read @ANI Stroy |https://t.co/V44sOOQB2k#PMModi #JammuAndKashmir #Parliament #LokSabha pic.twitter.com/Zcsogvq4rS
દુશ્મન દેશે પણ આપી બારૂદની સલામી- PM
PMએ કહ્યું કે જ્યારે શ્રીનગરનાં લાલચોકમાં ત્રિરંગો લહેરાવ્યો ત્યારે મીડિયાનાં લોકોને મેં કહ્યું કે સામાન્યરીતે તો 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીનાં રોજ જ્યારે ભારતનો ત્રિરંગો લહેરાય છે ત્યારે ભારતનાં બારૂદ સલામી આપે છે, આજે હું જ્યારે લાલચોકમાં ત્રિરંગો ફરકાવું છું ત્યારે દુશ્મન દેશનાં બારૂદ પણ અવાજ કરી રહ્યાં હતાં, બોમ્બ ફેંકી રહ્યાં હતાં.
લોકો સેંકડોની સંખ્યામાં જમ્મૂ-કાશ્મીરમાં ફરી શકે છે...- PM
તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'આજે જે શાંતિ આવી છે, તમે આજે શાંતિથી ત્યાં જઈ શકો છો, સેંકડોની ભીડમાં જઈ શકો છો, આ માહોલ અને પર્યટનની દુનિયામાં અનેક દશકો બાદ જમ્મૂ કાશ્મીરે રેકોર્ડ તોડ્યાં છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં લોકતંત્રનો ઉત્સવ મનાવવામાં આવે છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં 'હર ઘર તિરંગા'નો સફળ કાર્યક્રમ થઈ રહ્યો છે.'
#WATCH | During 10 years of UPA govt, inflation was in double digits and hence when something good happens, their sadness increases. In the history of the country's independence, 2004-2014 was full of scams. Terror attacks took place across the country in those 10 years: PM Modi pic.twitter.com/Gi6i5vhG8L
— ANI (@ANI) February 8, 2023
વિપક્ષ પર કર્યાં પ્રહારો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું કે, ' કેટલાક લોકો કે જે કહેતાં હતાં કે જમ્મૂ-કાશ્મીરમાં ત્રિરંગાથી શાંતિ બગડવાનો ભય લાગતો હતો, હવે સમય જુઓ કે તેઓ પણ ત્રિરંગા યાત્રામાં શામેલ થાય છે. '
આ સાથે PM મોદીએ કહ્યું કે, તેમણે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ખર્ચ કર્યો છે. દેશવાસીઓનો મોદી પર જે ભરોસો છે તે માત્ર તેમની સમજની બહાર નથી, તેમની સમજથી પણ ઉપર છે. શું દેશના 80 કરોડ લોકો જેઓ મફત રાશન મેળવી રહ્યા છે તેઓ આ ખોટા આરોપો લગાવનારા પર વિશ્વાસ કરશે ? જ્યારે ગરીબોને એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ દ્વારા રાશન મળે છે, ત્યારે તેઓ તમારા જુઠ્ઠાણા અને ગંદા આરોપો પર કેવી રીતે વિશ્વાસ કરશે ?
આ સાથે કહ્યું કે, જ્યારે સન્માન નિધિના પૈસા 11 કરોડ ખેડૂતોના ખાતામાં વર્ષમાં ત્રણ વખત જમા થાય છે, ત્યારે તેઓ તમારા પર કેવી રીતે વિશ્વાસ કરશે. મોદી મુસીબતના સમયે તેમની મદદે આવ્યા છે, તેઓ તમારા આરોપો પર કેવી રીતે વિશ્વાસ કરશે. તમારા આ આરોપો કરોડો ભારતીયોમાંથી પસાર થવાના છે. કેટલાક લોકો પોતાના અને પોતાના પરિવાર માટે જીવતા હોય છે. મોદી કરોડો દેશવાસીઓના પરિવારના સભ્ય છે. 140 કરોડ દેશવાસીઓના આશીર્વાદ મારી સૌથી મોટી ઢાલ છે. તમે આ બખ્તરમાં જૂઠાણા અને દુરુપયોગના શસ્ત્રોથી પ્રવેશ કરી શકતા નથી.
નક્કી કરો કે ભારત નબળું થયું છે કે મજબૂતઃ PM મોદી
વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે, આ લોકોને માથા અને પગ વગર વાત કરવાની આદત છે. આ કારણે તેઓ પોતે કેટલા વિરોધાભાસી બની જાય છે તે યાદ નથી. તેઓએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને ઓછામાં ઓછું તેમના પોતાના વિરોધાભાસને સુધારવું જોઈએ. તેઓ 2014થી સતત કહી રહ્યા છે કે ભારત કેટલું નબળું બની રહ્યું છે. હવે તેઓ કહી રહ્યા છે કે ભારત એટલું મજબૂત બની ગયું છે કે તે અન્ય દેશોને નિર્ણય લેવાની ધમકી આપી રહ્યું છે.
અરે ભાઈ, પહેલા નક્કી કરો કે ભારત નબળું થયું છે કે મજબૂત. કોઈ પણ વાઈબ્રન્ટ સંસ્થા અથવા વ્યવસ્થા હોય, જે જમીન સાથે જોડાયેલ હોય, તો દેશ તેના વિશે વિચારે છે, તેમાંથી શીખવાનો પ્રયાસ કરે છે અને પોતાનો રસ્તો પણ બદલતો રહે છે. જેઓ અહંકારમાં ડૂબેલા છે, જેઓ વિચારે છે કે તમામ જ્ઞાન તેમની પાસે છે, તેઓ વિચારે છે કે મોદીને ગાળો આપીને તેઓ તેમનો માર્ગ મેળવી લેશે.
જો માતા મજબૂત હોય તો આખો પરિવાર મજબૂતઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો માતા મજબૂત હોય તો આખો પરિવાર મજબૂત હોય છે અને જો પરિવાર મજબૂત હોય તો આખો સમાજ મજબૂત હોય છે. મને માતા-બહેનોની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે અમે આદિવાસીઓ માટે પાણીની વ્યવસ્થા કરી. અમે મહિલાઓને ધુમાડાથી મુક્ત કરી. પીએમ મોદીએ કહ્યું કે અમે માતાઓ અને બહેનો માટે શૌચાલયની વ્યવસ્થા કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh