બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / PM Modi Reviews Covid Situation In India, Centre May Recommend Masks: Sources
Hiralal
Last Updated: 06:08 PM, 22 December 2022
ભારતમાં કોરોનાનું સંકટ સર્જાતા અત્યારથી તેને બેસાડી દેવા માટે કેન્દ્રીય સ્તરે મોટાપાયે ધમધમાટ શરુ થયો છે. ગઈકાલે માંડવિયાની મોટી બેઠક બાદ આજની આઈએમએની ગાઈડલાઈન્સની સાથે પ્રધાનમંત્રી મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને કેન્દ્રીય મંત્રીઓ અને ટોચના અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિને લઈને ચર્ચાવિચારણા કરી હતી. બે કલાક ચાલેલી મીટિંગમાં પીએમ મોદીએ રાજ્યોને એક મોટો આદેશ આપ્યો હતો.
दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने देश में कोविड-19 की स्थिति पर उच्च स्तरीय बैठक की अध्यक्षता की। pic.twitter.com/3ht6Dgn4N1
— ANI_HindiNews (@AHindinews) December 22, 2022
રાજ્યોને બૂસ્ટર ડોઝ વધારવાનો આદેશ
પીએમ મોદીએ બેઠકમાં રાજ્યોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અને વધુમાં વધુ લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે પીએમ મોદી ટૂંક સમયમાં જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે. રાજ્યો માટે અલગથી એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન, નીતિ આયોગના સીઈઓ પરમેશ્વરન અય્યર, આરોગ્ય મંત્રાલય, નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (એનટીએજીઆઈ) અને અન્ય ટોચના અધિકારીઓ અને પ્રધાનો હાજર રહ્યાં હતા.
ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી થશે- વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે ચીનમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. આપણે દુનિયાની ફાર્મસી છીએ અને આ રીતે હંમેશા બીજા દેશોની મદદ કરી છે. આપણે ટ્રાવેલ એડવાઈઝરી પણ જારી કરવાની છે.
ભારતમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા
ચીનમાં કોરોના ફેલાવાને કારણે ભારતમાં ભયની સ્થિતિ છે અને ચોથી લહેર આવવાની સંભાવના છે. સરકારે પણ કોંગ્રેસ પાર્ટીને તેની ભારત જોડો યાત્રા બંધ કરવાની સૂચના આપી છે. એટલું જ નહીં ભાજપે પોતે રાજસ્થાનમાં પોતાની જનક્રોશ યાત્રા સ્થગિત કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં કેટલાક નિયમોનું પાલન કરવાની સલાહ સરકાર આપી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir