બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:39 PM, 22 January 2024
ADVERTISEMENT
આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે પીએમ મોદી દિલ્લી સ્થિત તેમના નિવાસસ્થાને દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરશે. દિલ્લીના લોક કલ્યાણ માર્ગ પર આવેલા પોતાના નિવાસ સ્થાન પર દિવાળીની ઉજવણી કરશે. પીએમ મોદી આ પહેલા પર 22 જાન્યુઆરીએ સૌ કોઈને દિપ પ્રગટાવવા માટે આહ્વાન કરી ચૂક્યા છે. આ સાથે જ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીની દેશવાસીઓને નમ્ર અપીલ કરી છે.
अयोध्या धाम में आज राम लला अपने भव्य मंदिर में विराजमान हुए हैं। इस पुनीत अवसर पर सभी देशवासियों से मेरा आग्रह है कि रामज्योति प्रज्वलित कर अपने घरों में भी उनका स्वागत करें। जय सियाराम! #RamJyoti pic.twitter.com/jllwCKNaym
— Narendra Modi (@narendramodi) January 22, 2024
ADVERTISEMENT
પ્રાણ પ્રતિષ્ઠાને એક નવા યુગનો આરંભ : મોદી
ADVERTISEMENT
આજે પીએમ મોદીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને એક નવા યુગનો આરંભ થયો હોવાનું પ્રતિક ગણાવ્યું હતું અને આગામી હજારો વર્ષોને મજબૂત, ભવ્ય અને દિવ્ય ભારતનો પાયો નાખવાનું આહ્વાન કર્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા બાદ સિયાવર રામચંદ્ર કી જય અને જય શ્રીરામના ઉદ્ઘોષ સાથે પીએમ મોદીએ પોતાનું સંબોધન શરૂ કર્યું હતું અને કહ્યું કે આ જીતનો અવસર નહીં પણ વિનમ્રતાનો અવસર ગણાવ્યો હતો તેમને કહ્યું કે રામ મંદિર સમૃદ્ધ અને વિકસિત ભારતના ઉદયનું સાક્ષી બનશે.
ગર્ભગૃહમાં અભિષેક સમારોહમાં ભાગ લીધો હતો
પીએમ મોદીએ કહ્યું કે હવે આપણે આ પવિત્ર સમયની સાથે આગામી હજારો વર્ષ માટે ભારતનો પાયો નાખવાનો છે. મંદિરના નિર્માણથી આગળ વધીને આપણે સૌ દેશીવાસીઓને આ ક્ષણથી જ સમર્થ, સક્ષમ, ભવ્ય અને દિવ્ય ભારતનું નિર્માણ કરવાનું છે.આ પહેલા પ્રધાનમંત્રી રાજ જન્મભૂમિ અને બાબરી મસ્જિદને લઈને ચાલી રહેલા કેસ પર 2019માં સુપ્રિમ કોર્ટના એતિહાસિક નિર્ણયથી સંભવ થયેલા રામ મંદિરના ગર્ભગૃહમાં અભિષેક સમારોહમાં ભાગ લીધો હતો.
ADVERTISEMENT
આજે આપણને શ્રી રામનું મંદિર મળ્યું છે
Pm મોદીએ કહ્યું કે "આજે હું ભગવાન શ્રી રામની પણ માફી માંગુ છું, આપણા જ પ્રયાસમાં જ કઈ કમી રહી ગઈ હશે કે જેથી આપણે અત્યાર સુધી આ મંદિરનું નિર્માણ ન કરી શક્યા.પણ હવે આજે એ ચાહ પૂરી થઈ ગઈ છે. પીએમએ કહ્યું કે રામ મંદિરના ભૂમિપૂજન પછી સમગ્ર દેશમાં દરરોજ ઉત્સાહ વધી રહ્યો છે. “આજે આપણને સદીઓની ધીરજ વારસામાં મળી છે. આજે આપણને શ્રી રામનું મંદિર મળ્યું છે. આખો દેશ આજે દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. આજે સાંજે દરેક ઘરમાં રામજ્યોતિ પ્રગટશે.
ADVERTISEMENT
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ ટ્વિટ કરીને પણ લોકોને અપિલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને અપીલ કરી કે આજે શ્રીરામ જ્યોતિ પ્રજ્જવલિત કરવી સાથે જ ભગવાન રામલલાનું સ્વાગત કરવા માટે અપિલ કરી છે.. કારણ કે આજે રામલલા ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.