બ્રેકિંગ ન્યુઝ
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી
VTV / PM Kisan Yojana: Modi govt's gift to farmers before Diwali, 12th installment to reach account within 10 days
Megha
Last Updated: 04:58 PM, 7 October 2022
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં 31 મે 2022 ના રોજ 2 હજાર રૂપિયા મોકલાવવામાં આવ્યા હતા. આ યોજના મુજબ એક વર્ષમાં ત્રણ વખત ચાર-ચાર મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં બે-બે હજાર કરીને કુલ 6 હજારની રકમ મોકલવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કુલ 11 વખત બે-બે હજાર કરીને આ રકમ મોકલાવવામાં આવી છે. હવે 12 મી વખતે હપ્તો આવવા જઈ રહ્યો છે અને 12મા હપ્તા વિશે ખેડૂત કલ્યાણ મંત્રાલય (Ministry of Agriculture and Farmers Welfare) તરફથી સત્તાવાર સૂચના બહાર પાડીને જાણકારી આપી છે.
ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તેમની બનતી કોશિશ કરે છે અને નવી નવી યોજનાઓ બનાવે છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના પણ એક એવી જ યોજના છે. જેની હેઠળ દેશના કરોડો ખડૂતોના ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે.
17 તારીખે આવી શકે છે પૈસા
મળતી જાણકારી અનુસાર કેન્દ્ર સરકાર 17 અને 18 ઓકટોબર 2022 ના દિવસે ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. આ સમયે દેશના કરોડો ખેડૂતો 2000 રૂપિયાની રાહ જોઈને બેઠા છે અને એટલા માટે જ સરકારએ દિવાળી પહેલા આ પૈસા ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.
કિસાન સન્માન નિધિ ખેડૂતોને સપોર્ટ કરતી સરકારની મોટી યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ભારત સરકારની મહત્વની યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ સરકાર નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે. આ સરકારની યોજના છે, જેમાં ખેડૂતોના ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવે છે. દરેક ખેડૂતના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર આ પૈસા 3 સરખા હપ્તામાં મોકલે છે, એટલે કે કેન્દ્ર સરકાર દરેક હપ્તામાં 2000 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ