બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / બિઝનેસ / People are more interested in protecting principal than returns, find out how much cash people keep with them in India
Vishal Dave
Last Updated: 10:04 PM, 19 February 2024
કોટક મ્યુચ્યુઅલ ફંડના એમડી નિલેશ શાહે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા ત્રણ વર્ષના બચત ડેટાનું મૂલ્યાંકન બહાર પાડ્યું છે. તેમનું કહેવું છે કે લોકોમાં રોકાણ અંગે સંપૂર્ણ માહિતીનો અભાવ એક મોટી અડચણ છે. મોટાભાગના ઘરગથ્થુ બચતકારો બજારની અસ્થિરતા કરતાં નિશ્ચિત વળતરને પસંદ કરે છે. તેમને મોંઘવારી દર કરતાં ઓછું વળતર મળી રહ્યું છે પરંતુ તેમના માટે તેઓ રિટર્ન કરતાં વધારે સુવિધા કર મુક્તિ છે.
ભારતમાં બચતના મૂળ ચિત્રમાં હજુ પણ બહુ બદલાવ નથી
કોરોના રોગચાળા પછી, શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે, પરંતુ ભારતમાં બચતના મૂળ ચિત્રમાં હજુ પણ બહુ બદલાવ આવ્યો નથી. આરબીઆઈના ડેટા દર્શાવે છે કે ભારતમાં નાણાકીય વર્ષ 2020-21 થી નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, ઘરની બચતની કુલ રકમના 84 ટકા ફિક્સ રિટર્ન સ્કીમ્સ (બેંક ડિપોઝિટ સ્કીમ્સ વગેરે)માં રોકાણ કરવામાં આવી છે જ્યારે 10 ટકાથી વધુ રકમ રોકડના સ્વરૂપમાં ઘરમાં સંગ્રહી રાખી છે
આ આધારે, એવું માનવામાં આવે છે કે સામાન્ય લોકો માટે, વધુ વળતરને બદલે મુખ્ય રકમ સુરક્ષિત રાખવી એ હજી પણ પ્રાથમિકતા છે. આ સમયગાળા દરમિયાન, ભારત દ્વારા બચત કરાયેલી રકમમાંથી માત્ર 6.1 ટકા જ સ્ટોક માર્કેટ અથવા મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં રોકાણ કરવામાં આવ્યું છે.
94 ટકા લોકોએ ફિક્સ્ડ ઈન્કમ સ્કીમમાં પૈસા રોક્યા છે
94 ટકા લોકોએ ફિક્સ્ડ ઇન્કમ સ્કીમમાં નાણાંનું રોકાણ કર્યું છે જ્યારે માત્ર 6 ટકા લોકોએ રોકાણના અન્ય વિકલ્પો અજમાવ્યા છે.આરબીઆઇના ડેટા અનુસાર, ઉપરોક્ત ત્રણ નાણાકીય વર્ષમાં કુલ બચત રકમ (રૂ. 31.65 લાખ કરોડ)માંથી 36.8 ટકા બેંક ડિપોઝિટ હતી. ભારતમાં , 20.1 ટકા (રૂ. 17.28 લાખ કરોડ) પેન્શન અને પીએફમાં, 18.2 ટકા (રૂ. 15.69 લાખ કરોડ) વીમામાં, 10.3 ટકા (રૂ. 8.89 લાખ કરોડ) રોકડમાં અને 7.9 ટકા (રૂ. 6.83 લાખ કરોડ) છે. નાની બચત યોજનાઓમાં રોકાણ કર્યુ.
જ્યારે 1.3 ટકા (રૂ. 1.10 લાખ કરોડ)નું રોકાણ શેરબજારમાં અને 4.7 ટકા (રૂ. 4.03 લાખ કરોડ) મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવ્યું છે. એ પણ નોંધનીય છે કે 10 ટકાથી વધુ રકમ રોકડમાં છે જેમાં કોઈ વળતર મળતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir