બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 10:35 PM, 22 November 2023
પાસપોર્ટ વેરિફિકેશન માટે લોકોએ પોલીસ સ્ટેશન ધક્કો નહી ખાવો પડે અને પોલીસ તપાસ માટે ઘરે આવશે. આવો નિયમ છે. પરંતુ અમુક આળસુ અધિકારીઓ નીતિ નિયમને નેવે મૂકી અને પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજીકર્તાઓને પોલીસ સ્ટેશનને બોલાવતા હોય છે. ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન પાસપોર્ટની વેરિફિકેશનનું કામ કરતા કર્મચારીના દાવાનું પોલીસ કમિશનરે તપાસ હાથ ધરી ક્રોસ ચેકિંગ કરતા પોલીસ કર્મચારીની પોલ છતી થઈ ગઈ હતી. જેને લઈને બેદરકાર પોલીસ કર્મી સામે આકરી કાર્યવાહી કરાઈ હતી.
આવો છે નિયમ
નિયમની વાત કરીએ તો અગાઉ નિયમ એવો હતો કે પાસપોર્ટ માટેની ઓનલાઇન અરજી કર્યા બાદ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પોસપોર્ટ વિભાગ દ્વારા અરજદારોને પોસપોર્ટ વેરિફિકેશન રહેઠાણના પુરાવા સહિત જરૂરી દસ્તાવેજો સાથે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવતા હતા. પરંતું, સિનિયર સીટીઝન સહિતના કેટલાક નાગરિકોને જે-તે જવાબદાર અધિકારી પોલીસ સ્ટેશને સંજોગોવસાત હાજર નહીં મળતા ધક્કો ખાવો પડતો હતો. જો વળી કેટલાક પાસપોર્ટ અરજદારો દ્વારા ભાડા કરાર જેવા રહેઠાણના ખોટા પુરાવા રજુ કરવામાં આવતા હતા. ત્યારે અગાઉ જે તે સમયના અમદાવાદ પોલીસ કમિશન આશિષ ભાટીયાએ આ અંગે ગંભીરતાથી નોંધ લઇને પોલીસ જ અરજદારના ઘરે જઇ વેરિફિકેશન કરે તેવો નિર્ણય કર્યો હતો. જોકે તેની અમલવારીમાં છીંડા હોવાના અનેક કિસ્સો સામે આવે છે આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે.
શું બની હતી ઘટના?
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. માલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશનની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તમામ પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે પૂછ્યું હતું કે કોઈ સ્ટાફને કાંઈ પ્રશ્ન કે કોઈ તકલીફ નથી ને? બાદમાં પાસપોર્ટ શાખામાં ફરક બજાવતા કર્મચારીઓને પૂછ્યું હતું કે તમે પાસપોર્ટની કામગીરી કઈ રીતે કરો છો?તો કર્મચારીઓએ કહ્યું હતું કે અમે અરજદારોના ઘરે જઈ વેરિફિકેશન કરીએ છીએ અને મહિનામાં સાતથી આઠ અરજી આવતી હોવાનું પણ જણાવ્યું હતું. બાદમાં કમિશનરે પાસપોર્ટ વેરિફિકેશન માટેની યાદી મંગાવી અને એક અરજદારને ફોન કર્યો હતો.
પોલીસ કમિશનરે અરજદાર સાથે વાતચીત કરી જણાવ્યું કે તમારો પાસપોર્ટ આવ્યો અને વેરિફિકેશન માટે પોલીસ તમારે ઘરે આવી હતી? તો સામેથી જવાબ મળ્યો કે ના પોલીસ અમારે ઘરે નથી આવી અમે વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન એ ગયા હતા. જેના જવાબને લઈને પોલીસ કર્મચારીઓના દાવાનો પરપોટો ફૂટી ગયો હતો અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું. બાદમાં પોલીસ કમિશનરે કર્મચારીને બરોબરનો ખખડાવ્યો હતો અને સ્પષ્ટ સૂચના આપી દીધી હતી.લોકોને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન બોલાવાતા કસૂરવાર કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કર્મચારીને સસ્પેન્ડ પણ કરી દેવાયો છે. મહત્વનું છે કે ફાઈલમાંથી નંબર લઈ પોલીસ કમિશનરે અરજી કરનારને ફોન કરતા બેદરકારી સામે આવી હતી. જેને લઈને કમિશનર આકરા પાણીએ થયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh