બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Paracetamol should not be taken even by mistake in dengue fever! Know the side effectsVitamin C is the best
Kishor
Last Updated: 10:37 PM, 5 October 2023
હાલની સ્થિતિમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક ઉછાળો નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશ જાણે ડેન્ગ્યુના બૉમ્બ ઉપર બેઠો હોય તેમ ડેન્ગ્યુના કેસમાં વધારો થતો હોવાના અહેવાલો મળી રહ્યા છે. માનવ શરીર માટે ગંભીર ગણાતો ડેન્ગ્યુ રોગ મચ્છર કરડવાથી થાય છે અને તેની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો અમુક કિસ્સાઓમાં મોત પણ થઈ શકે છે. ડેન્ગ્યુમાં હાડકા દુખવા ઉપરાંત માથું દુઃખવુ અને તાવ પણ આવે છે. ઘણી વખત લોકો તાવથી બચવા માટે પેરાસીટામોલ લેતા હોય છે. પરંતુ આવું કરવું એ સ્વાસ્થ્ય માટે ગંભીર સાબિત થઇ શકે છે.
લીવર અને કિડનીમાં નુકસાન
પેરાસીટામોલ માત્ર ડેન્ગ્યુના દર્દીઓને રાહત આપે છે. પરંતુ પેરાસીટામોલથી રોગનો ઈલાજ થતો નથી તે માત્ર તાવ અને દુખાવાના લક્ષણો ઓછા કરી શકે છે. વધુમાં આધાશીશી, માથાનો દુખાવો અને પિરિયડ્સમાં પણ આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેનાથી અમુક આડસરની ભીતિ સેવાતી હોય છે. આ દવાના ગેરફાયદાની વાત કરવામાં આવે તો થાક શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત અમુક કિસ્સાઓમાં પેટમાં દુખાવો તથા ઉબકા ઉલટી અને એનીમિયા તેમજ લીવર અને કિડનીમાં નુકસાન સહિત અનેક સમસ્યાઓ થતી હોય છે.
વિટામિન સી થી ભરપૂર ખોરાક ખાઓ
ડેન્ગ્યુ તાવના ઘરગથ્થુ ઉપાયની વાત કરીએ તો ડેન્ગ્યુ તાવથી પીડિત વ્યક્તિઓએ ખૂબ પાણી પીવું જોઈએ. ઉપરાંત નારીયલ પાણી અથવા અન્ય કોઈ પણ પ્રવાહી પીવું જોઈએ. જેનાથી શરીરમાં ડીહાઇડ્રેશન રોકવામાં મદદ થાય છે. ડેન્ગ્યુ તાવએ એક થકાવી દેતી બીમારી છે. આથી આરામ કરવો ખૂબ જ મહત્વનો છે તેમજ ઠંડા પાણીનો કોમ્પ્રેસ તાવ ઘટાડવામાં મદદ કરી શકે છે. વધુમાં વિટામિન સી એ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરતું હોવાથી વિટામિન સી થી ભરપૂર ખોરાક જેવા કે નારંગી, લીંબુ સહિતના ફળનું સેવન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir