બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 11:26 AM, 15 March 2024
Citizenship Amendment Act : નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAAના અમલીકરણની સૂચના જાહેર થયા બાદ હવે તેને દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. વિપક્ષ CAAના વિરોધનું રણશિંગુ વગાડી રહ્યું છે. પરંતુ આ દરમિયાન પાકિસ્તાને પણ CAAને લઈને નિવેદન આપ્યું છે. પાકિસ્તાને CAAને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને કહ્યું છે કે, આ કાયદો લોકોને ધર્મના આધારે વહેંચવા જઈ રહ્યો છે. પાકિસ્તાને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતીય મુસ્લિમોએ આ કાયદાથી ડરવાની જરૂર નથી કારણ કે CAA તેમની નાગરિકતા પર અસર કરશે નહીં.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે તે સ્પષ્ટ છે કે, CAA અને તેના નિયમો ભેદભાવપૂર્ણ છે કારણ કે તેઓ ધર્મના નામે લોકોને વહેંચે છે. તેમણે કહ્યું કે, આ નિયમો એ ખોટી માન્યતા પર આધારિત છે કે, મુસ્લિમ દેશોમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને ભારત લઘુમતીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. મુમતાઝે કહ્યું કે, 16 ડિસેમ્બર 2019 ના રોજ પાકિસ્તાનની સંસદમાં CAAની ટીકા કરતો એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો જેમાં CAAને સમાનતાના આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ હોવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, અમે માનીએ છીએ કે ભારતની અંદર લઘુમતીઓને નિશાન બનાવવામાં આવશે નહીં અને સરકાર આ દિશામાં પગલાં લેશે.
જાણો CAA પર અમેરિકાએ શું કહ્યું?
ભારતમાં CAA નોટિફિકેશન જાહેર થયા બાદ અમેરિકાએ પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું છે કે, તે CAA નોટિફિકેશનથી ચિંતિત છે અને તેના પર નજર રાખી રહ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે, ભારતે 11 માર્ચે નાગરિકતા સંશોધન બિલનું નોટિફિકેશન બહાર પાડ્યું, જેનાથી અમે ચિંતિત છીએ. આ કાયદાનો અમલ કેવી રીતે થશે તેના પર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. ધાર્મિક સ્વતંત્રતા માટે આદર અને કાયદા હેઠળ તમામ સમુદાયો સાથે સમાન વ્યવહાર એ મૂળભૂત લોકશાહી સિદ્ધાંતો છે.
#WATCH | On CAA implementation, US State Department Spokesperson Matthew Miller says, "We are concerned about the notification of Citizenship (Amendment) Act. We are closely monitoring
— ANI (@ANI) March 15, 2024
how this Act will be implemented. Respect for religious freedom and equal treatment under the… pic.twitter.com/55Xhog4Itp
જાણો શું છે CAA ?
નાગરિકતા સંશોધન બિલ પહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તે અહીંથી પસાર થયું પણ રાજ્યસભામાં અટકી ગયો. બાદમાં તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું અને પછી ચૂંટણી આવી. પુનઃચૂંટણી પછી નવી સરકારની રચના કરવામાં આવી હતી તેથી તે ફરીથી ડિસેમ્બર 2019 માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. આ વખતે આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થયું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી આ 10 જાન્યુઆરી, 2020 થી કાયદો બની ગયો. નાગરિકતા સંશોધન કાયદા દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. કાયદા અનુસાર 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા આપવામાં આવશે.
તો પછી કેમ થઈ રહ્યો છે CAAનો વિરોધ ?
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધનું આ સૌથી મોટું કારણ છે. કેટલાક વિરોધીઓ આ કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવે છે. તેમનું કહેવું છે કે, જ્યારે નાગરિકતા આપવાની છે તો ધર્મના આધારે શા માટે આપવામાં આવી રહી છે? મુસ્લિમોને આમાં શા માટે સામેલ કરવામાં આવતા નથી? આના પર સરકારની દલીલ છે કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઇસ્લામિક દેશો છે અને અહીં ધર્મના આધારે બિન-મુસ્લિમો પર અત્યાચાર ગુજારવામાં આવે છે. આ કારણથી બિન-મુસ્લિમો અહીંથી ભારતમાં ભાગી ગયા છે. તેથી તેમાં માત્ર બિન-મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા મુજબ ભારતીય નાગરિકતા માટે ઓછામાં ઓછા 11 વર્ષ સુધી દેશમાં રહેવું જરૂરી છે. પરંતુ નાગરિકતા સંશોધન કાયદા હેઠળ આ ત્રણ દેશોના બિન-મુસ્લિમોને 11 વર્ષની જગ્યાએ 6 વર્ષ રહેવા પછી જ નાગરિકતા આપવામાં આવશે. અન્ય દેશોના લોકોએ ભારતમાં 11 વર્ષ પસાર કરવા પડશે, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh