બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / સ્પોર્ટસ / Cricket / Outcry from Pakistan over Virat Kohli former cricketer says how to drop him from T20 World Cup squad
Pravin Joshi
Last Updated: 04:49 PM, 13 March 2024
ભારતીય ક્રિકેટ ટીમ હવે જૂન મહિનામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં રમવા માટે મેદાનમાં ઉતરશે, તે પહેલા 2 મહિના સુધી ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયરની આગામી 17મી સિઝનમાં રમતા જોવા મળશે. જે 22 માર્ચથી શરૂ થશે. T20 વર્લ્ડ કપને લઈને BCCI સેક્રેટરી જય શાહે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપની જવાબદારી સંભાળતો જોવા મળશે. કેટલાક અહેવાલો અનુસાર વિરાટ કોહલીની જગ્યાએ મેગા ઈવેન્ટ માટેની ટીમ કન્ફર્મ માનવામાં આવતી નથી. આ અંગે પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ ખેલાડી દાનિશ કનેરિયાએ આવા તમામ અહેવાલોને સંપૂર્ણ બકવાસ ગણાવ્યા અને કહ્યું કે તમારે સોશિયલ મીડિયા પર જે કંઈ પણ થાય છે તેને એટલી ગંભીરતાથી ન લેવું જોઈએ કારણ કે ત્યાં કંઈપણ વાયરલ થાય છે.
તમે વિરાટને કેવી રીતે અવગણી શકો છો
દાનિશ કનેરિયાએ આપેલા નિવેદનમાં વિરાટ કોહલી વિશે કહ્યું કે તમે તેને કેવી રીતે નજરઅંદાજ કરી શકો, તે T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ હોવો જોઈએ. તે સતત રન બનાવી રહ્યો છે અને અત્યારે કોહલીથી આગળ જોવાનો સમય નથી. તમારે તેમને ટીમનો ભાગ બનાવવો પડશે, જેની સાથે યુવા ખેલાડીઓને પણ શીખવાની તક મળશે. ભારતીય ટીમ અત્યારે ખૂબ સારું ક્રિકેટ રમી રહી છે અને મને કોઈ શંકા નથી કે કોહલી તે ટીમનો ભાગ હશે.
બોલર કુલદીપ યાદવના પણ વખાણ કર્યા
આ સાથે જ દાનિશ કનેરિયાએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર બોલર કુલદીપ યાદવના પણ વખાણ કરતા કહ્યું કે, એક સમયે તકો ન મળવાને કારણે કુલદીપનો આત્મવિશ્વાસ ઓછો હતો, પરંતુ તેણે શાનદાર રીતે બાઉન્સ બેક કર્યું. કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ જીત્યો, જેમાં કુલદીપને નવી પસંદગી સમિતિનું સમર્થન પણ મળ્યું. તેનો આત્મવિશ્વાસ પાછો આવ્યો છે અને હું ઈચ્છું છું કે તે આ રીતે બોલિંગ કરવાનું ચાલુ રાખે.
બીસીસીઆઈએ મહત્વના ખેલાડીઓને લઈને ફ્રેન્ચાઈઝીઓને માર્ગદર્શિકા આપવી જોઈએ
ભારતીય ટીમને IPLની 17મી સિઝન પૂરી થયા બાદ જ T20 વર્લ્ડ કપમાં રમવાનું છે, આવી સ્થિતિમાં મેગા ટૂર્નામેન્ટ માટે ઘણા મહત્વપૂર્ણ ખેલાડીઓનું ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. આ અંગે દાનિશ કનેરિયાએ પોતાના નિવેદનમાં બીસીસીઆઈને એક સૂચન પણ આપ્યું છે, જેમાં તેણે કહ્યું છે કે બીસીસીઆઈએ તમામ ફ્રેન્ચાઈઝી સાથે વાત કરવી જોઈએ જેથી મહત્વના ખેલાડીઓ પર દબાણ ઓછું થઈ શકે. ઋષભ પંત જ્યારે પુનરાગમન કરી રહ્યો છે ત્યારે બુમરાહના વર્કલોડને પણ ધ્યાનમાં રાખવું પડશે જેથી કરીને તેને IPLમાં કોઈપણ પ્રકારની ઈજા ન થાય.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir