બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Online confirmation process started for Talati recruitment exam

ચુકતા નહીં / તલાટી ભરતીની પરીક્ષા માટે ઓનલાઇન કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ, આ તારીખ ડેડલાઇન, હસમુખ પટેલે આપી અગત્યની જાણકારી

Vishal Khamar

Last Updated: 06:21 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Talati Recruitment Confirmation Process : તલાટીની કમ મંત્રીની ભરતી પ્રક્રિયામાં સૌ પ્રથમ તો પરીક્ષા માટે પરીક્ષાર્થીનું કન્ફર્મેશન લેવામાં આવશે. જે બાદ જ પરીક્ષાર્થી પરીક્ષા આપી શકશે. ત્યારે આજે OJASની વેબસાઇટ પર કન્ફર્મેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

  • તલાટી કમ મંત્રીની ભરતી પ્રક્રિયાની પરીક્ષા માટે કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ
  • OJASની વેબસાઇટ પર કન્ફર્મેશનની પ્રક્રિયા શરૂ
  • ઓનલાઇન કન્ફર્મેશન આપનારા જ તલાટીની ભરતી પરીક્ષા આપી શકશે 
  • આગામી 7મે ના રોજ યોજાવવાની છે તલાટીની ભરતી પરીક્ષા

તલાટી કમ મંત્રીની ભરતી પ્રક્રિયાની પરીક્ષા માટે કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં OJASની વેબસાઇટ પર કન્ફર્મેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ઓનલાઈન કન્ફર્મેશન આપનારા જ તલાટીની ભરતી પરીક્ષા આપી શકશે. આગામી 7 મે ના રોજ તલાટીની ભરતી પરીક્ષા યોજાવાની છે. 

૨૦ તારીખ સુધી સવારે ૧૧ વગ્યા સુધી સંમતિ પત્ર ભરી શકાશે
પંચાયત પસંદગી મંડળ દ્વારા 7 મે ના રોજ તલાટીની ભરતી પરીક્ષા લેવાશે. જેમાં બિનજરૂરી વ્યય ન થાય તે માટે પૂર્વ મંજૂરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સંમતિ પત્ર આપનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે. બે અરજી થઈ હોય તેમને એક અરજી માટે સંમતિ પત્ર આપવાનો રહેશે. જેમાં તૈયારી કરનાર ઉમેદવાર જ સંમતિ આપે તેવી વિનંતી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 41 ટકા ઉમેદવાર હાજર રહ્યા હતા. જ્યારે 59 ટકા ઉમેદવાર ગેરહાજર રહેતા પેપર ઓએમઆર શીટનો વ્યય થયો હતો. ત્યારે આગામી 20 એપ્રિલ સુધી સવારે 11 વાગ્યા સુધી સંમતિ પત્ર ભરી શકાશે. સરકારને પરીક્ષા કેન્દ્રો મળ્યા છે. જેટલા લોકોને પરીક્ષા આપવી છે તેટલા લોકો જ સંમતિ પત્ર ભરે તેમ પંચાયત પસંદગી મંડળનાં અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું.

ઉમેદવારે કેવી રીતે ફોર્મ ભરવું....

સ્ટેપ-1
સૌ પ્રથમ તો પરીક્ષાર્થીએ  https://ojas.gujarat.gov.in/ ની વેબસાઈટ પર જવું 
સ્ટેપ-2
ત્યારે બાદ નીચે આપેલ ફોટામાં દેખાઈ રહેલ લખાણ પર ક્લીક કરવું.

સ્ટેપ-3
નવું પેજ ખુલશે. જેમાં જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિ કલીક કરો. 
 (i) Select Job માથી જાહેરાત પસંદ કરો. લખેલું હશે. 

17.10 લાખ ઉમેદવારોએ ભર્યા છે ફોર્મ
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા તા.30-04-2023ના રોજ લેવાનું મંડળે આયોજન કર્યું હતું. પરંતુ પરીક્ષાની પ્રક્રિયામાં લાગનાર સમયને ધ્યાનમાં લઇ આ પરીક્ષા હવે તા.30-04-2023ના બદલે આગામી તા.07-05-2023ના રોજ લેવાનો રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેની વિગતવાર જાહેરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષામાં અંદાજે 17,10,386 ઉમેદવારો ભાગ લેવાના છે.

ઉમેદવારોએ કન્ફર્મેશન કરાવવું ફરજિયાત 
તેઓએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલ એક સ્ટેજ પરીક્ષાઓમાં 40 ટકાથી 50 ટકા જેટલા જ ઉમેદવારો હાજર રહેતા હોવાનું જણાયું છે. જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં ઘણા સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે. આથી આ બાબતને ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેટલા ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપે તેટલા જ ઉમેદવારોની વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવે તો સાધનો બિનજરૂરી રીતે વેડફાય નહીં તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય. આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી અગાઉથી કન્ફર્મેશન લેવાની વ્યવસ્થા કરવાનું મંડળે નિર્ણય કર્યો છે.  ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવાનું રહેશે, કન્ફર્મેશન નહી આપનાર પરીક્ષા આપી શકશે નહી, એમ મંત્રીએ ઉમેર્યું હતું. 

7મી મેના રોજ પરીક્ષા યોજાશે
શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં જ પરીક્ષા યોજવાનું આયોજન છે. જે બાદ  સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું  અને તેમણે તારીખ જાહેર કરતા જણાવ્યું કે, 7મી મેના રોજ પરીક્ષા યોજાશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ