બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Megha
Last Updated: 02:08 PM, 24 June 2023
બરાક ઓબામાએ હાલ જ એક ઇંટરવ્યૂમાં ઘણા મુદ્દા પર ખુલ્લીને વાત કરી હતી જેમાંથી એક ટૉપિક હતો સબમરીનમાં ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલ 5 અબજોપતિની મોત અને ગ્રીસના દરિયાકાંઠે માછીમારીની બોટ ડૂબી જવાથી સેંકડો સ્થળાંતર કરનારાઓના લોકોની મોત. ઓબામાએ વિશે વાત કરતાં કહ્યું હતું કે ગ્રીસમાં થયેલ બોટ દુર્ઘટના પ્રત્યે લોકો આંખ આડા કાન કરી રહ્યા છે તેવા સમયે ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલ અબજોપતિ માટે લોકો પ્રાથના કરી રહ્યા છે.
More than 300 Pakistani migrants have died in a boat accident in Greece.
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 17, 2023
Witness accounts suggest between 600 and 750 people had been on the fishing boat which capsized on Wednesday morning. pic.twitter.com/RiBOXOmVo5
આગળ એમને કહ્યું કે, 'ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલ અબજોપતિ માટે સંભવિત દુર્ઘટના પ્રગટ થઈ રહી છે અને મીડિયામાં તેનું મિનિટ-મિનિટનું કવેરેજ ચાલી રહ્યું છે જેને આખું વિશ્વ જોઈ રહ્યું છે પણ હાલ તેની સામે ગ્રીસમાં દુર્ઘટનામાં જે લોકો ડૂબી ગયા એના વિશે કોઈને જરા પણ વિચાર નથી આવતો. કારણ કે અમે બધા ઇચ્છીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તે પાંચ લોકોને બચાવી લેવામાં આવે પણ હકીકત એ પણ છે કે ગ્રીસ બોટ દુર્ઘટનામાં ડૂબી ગયેલા 700 લોકો કરતા એ પાંચ લોકો વધુન ધ્યાન ખેંચી રહ્યા છે, આ એક અસહ્ય પરિસ્થિતિ છે."
ગયા અઠવાડિયે ગ્રીસના મેસેનિયાના દરિયાકાંઠે લગભગ 750 પુરુષો, સ્ત્રીઓ અને બાળકોથી ભરેલી માછીમારીની બોટ પલટી ગઈ હતી. તેના વિશે પળે-પળની અપડેટ કોઈ નથી લઈ રહ્યું જહાજમાં લગભગ 300 જેટલા લોકો પાકિસ્તાનથી આવ્યા હતા, જ્યારે અન્ય સીરિયા અને ઇજિપ્તથી મુસાફરી કરી હતી. સેંકડો લોકો મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે, જે ભૂમધ્ય સમુદ્રની સૌથી ભયંકર દુર્ઘટનાઓમાંની એકન છે અને યુરોપના શરણાર્થી સંકટ પર પ્રકાશ પાડે છે કારણ કે હજારો લોકો યુદ્ધ અને ગરીબીના જોખમોથી દૂર વધુ સારા જીવનની શોધ કરી રહ્યા છે પણ આ મુદ્દે કોઈ વાત નથી કરી રહ્યું.
હાલ બોટમાં રહેલા લોકોને બચાવવાના પ્રયાસો વિશે પ્રશ્નો ઉભા થયા છે કારણ કે શિપિંગ ડેટા જણાવે છે કે બોટ મુશ્કેલીમાં હતી છતાં ગ્રીસ તરફથી જવાબમાં વિલંબ થયો હોવાનું જણાયું હતું. તેનાથી વિપરિત, OceanGate ExpeditionsTitan જહાજમાં સવાર પાંચ માણસોએ એટલાન્ટિક મહાસાગરના ઊંડાણમાં ટાઈટેનિકના કાટમાળની મુલાકાત લેવા માટે વ્યક્તિ દીઠ $250,000 ચૂકવવાનું પસંદ કર્યું અને તેમણે શોધવામાં જમીન-આકાશ એક કરી દીધા હતા.
Former US President #Obama slams Western hypocrisy over migrants
— HuiHui Chen Miss (@HuiHuiChenMiss) June 23, 2023
That more attention is being paid to #Titanic submersible than #migrant boat sinking off #Greece is ‘rotten,’ he says pic.twitter.com/UvCdvfVtOr
ઓશનગેટના સીઇઓ અને સ્થાપક સ્ટોકટન રશ, બ્રિટિશ અબજોપતિ સંશોધક હેમિશ હાર્ડિંગ, પ્રખ્યાત ફ્રેન્ચ ડાઇવર પોલ-હેનરી નરજીઓલેટ અને પાકિસ્તાની ઉદ્યોગપતિ શહઝાદા દાઉદ અને તેમના 19 વર્ષના પુત્ર સુલેમાન દાઉદ રવિવારે સવારે વિનાશકારી સાહસની શરૂઆત કરી હતી. ટાઇટન જહાજ તેના મધર જહાજ ધ્રુવીય પ્રિન્સ સાથેનો સંપર્ક તેની મુસાફરીમાં માત્ર એક કલાક અને 45 મિનિટમાં તૂટી ગયો હતો, જેના કારણે ગુમ થયેલા સબને શોધવા અને જહાજમાં રહેલા લોકોને બચાવવા માટે બહુરાષ્ટ્રીય, બહુ-એજન્સી શોધ અને બચાવ કામગીરી શરૂ થઈ હતી.
ગુરુવારે યુએસ કોસ્ટ ગાર્ડે પુષ્ટિ કરી કે સમુદ્રના તળ પર ટાઇટનનો કાટમાળ મળી આવ્યો હતો અને "આપત્તિજનક વિસ્ફોટ" ના પરિણામે પાંચ માણસો પહેલાથી જ મૃત્યુ પામ્યા હતા. ત્યારથી કોસ્ટ ગાર્ડે ખુલાસો કર્યો છે કે નૌકાદળે તેની મુસાફરીમાં સંપર્ક ગુમાવ્યાના થોડા સમય પછી વિસ્ફોટનો અવાજ સંભળાઇ ગયો હતો. એ સમયે બાદ પણ મીડિયા કવરેજ અને લોકોના ધ્યાને પણ મોટાભાગે ટાઇટન દુર્ઘટનાની ગ્રીસ દુર્ઘટના કરતાં વધુ કંપાવનારી છે. કારણ કે ચોવીસ કલાક આ વિશે જ રિપોર્ટિંગ અને સોશિયલ મીડિયાના વળગાડ ચાલી રહ્યું છે.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh