બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / Now you don't have to go to Sasan to see lions, lion safari park is ready in this city in an area of 8 hectares, you can sit in a vehicle and watch it carefully.
Vishal Khamar
Last Updated: 11:05 PM, 27 February 2023
રાજકોટ મહાનગરપાલિકાનો ઝૂ અને લાયન બ્રિડીંગ સેન્ટરનો પ્રોજેકટ સફળ થયા બાદ આગામી વર્ષમાં રાંદરડા તળાવ પાસે લાયન સફારી પાર્ક બનાવવા માટે રૂ.10 કરોડની યોજના બનાવવામાં આવી છે તેના માટે જરૂરી જમીન એકત્ર કરવા માટે મનપાએ 15 વર્ષ પહેલા જંગલ ખાતાને આપેલી 8 હેકટર જમીન પરત લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બે દિવસ પૂર્વે મનપા કમિશ્નર અને જંગલ ખાતાના અધિકારીઓ સાથે બેઠક મળી હતી અને આ બેઠકમાં જંગલ ખાતાએ જમીન પરત આપવા તૈયારી બતાવી છે.
લાયન સફારી પાર્ક બનાવવા માટે આગળ કાર્યવાહી શરૂ કરી રહીઃપ્રદીપ ડવ
રાજકોટ મહાનગરપાલિકા ને આ જમીન સરકારે બ્યુટીફિકેશન અને રાંદરડા તળાવ આસપાસ મનોરંજન પાર્ક માટે બનાવવાના હેતુથી ફાળવી હતી. જો કે જમીન ફાળવણી બાદ કોઈ પ્રોજેકટ નહિ બનતા જંગલ ખાતાને સામાજિક વનિકરણની યોજના માટે જમીનનો ઉપયોગ કરવા પરવાનગી આપવામાં આવી હતી. જમીનનો ઉપયોગ 15 વર્ષ માટે થઈ શકશે તેવું નક્કી કરાયું હતું. હવે મહાપાલિકાએ બજેટ 2023-24 માં જમીનની જરૂર પડી છે. મનપા દ્વારા ત્યા લાયન સફારી પાર્ક બનાવવા માટે આગળ કાર્યવાહી શરૂ કરી રહી છે.
રાંદરડા અને લાલપરી પાસે સફારી પાર્કમાં સિંહ દર્શન થઈ શકશે
મનપાએ જમીનની માગણી માટે જંગલખાતાને જણાવતા અધિકારીઓ વચ્ચે હકારાત્મક બેઠક યોજાઈ હતી. આ જમીન 15 વર્ષ માટે આપવામાં આવી હતી અને હાલ તેના કરતા વધુ સમયગાળો થઈ ચૂક્યો છે ત્યારે જમીન જંગલખાતું પરત આપી દેશે. જમીન મહાપાલિકાની માલિકીની હોવાથી કોઈ ટેકનીકલ સમસ્યા આડી આવી શકે તેમ નથી. જમીનનો મુદ્દો ક્લિયર થયા બાદ યોજનાનો ડી.પી.આર. બનાવવામાં આવશે. જે રીતે સાસણના દેવળીયા, જૂનાગઢમાં સકકરબાગ પાછળ સિંહને મુક્ત વિહાર કરતા માણી શકાય છે તે રીતે રાજકોટમાં રાંદરડા અને લાલપરી પાસે સફારી પાર્કમાં સિંહ દર્શન થઈ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh