બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Now saving TAX is very easy, these 5 schemes of the government will be beneficial
Priyakant
Last Updated: 02:34 PM, 10 March 2024
Tax Savigs Scheme : હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ટેક્સ બચાવવાની યોજના બનાવી રહ્યા છે. જો તમે પણ આવી સ્કીમ શોધી રહ્યા છો, જેમાં ટેક્સ બચાવવાની સાથે તમને 8 ટકાથી વધુ રિટર્ન મળશે. આજે અમે તમને એવી 5 સરકારી યોજનાઓ વિશે જણાવીએ છીએ, જેના દ્વારા તમે નાણાકીય વર્ષ 2023-24 માટે ટેક્સ બચાવી શકો છો.
જો તમે સુરક્ષિત રોકાણની સાથે ટેક્સ બચાવવા માંગો છો તો પોસ્ટ ઓફિસની 5 યોજનાઓ છે જેમાં PPF, ટાઈમ ડિપોઝિટ અને સુકન્યા સ્કીમ છે જેમાં તમે રોકાણ કરી શકો છો. આ યોજનાઓ દ્વારા તમે ટેક્સ બચાવી શકશો અને 8.2% સુધીનું વળતર પણ મેળવી શકશો.
1. વરિષ્ઠ નાગરિક બચત યોજના
આ સ્કીમમાં રોકાણકારોને 8.2% સુધી વ્યાજનો લાભ મળી રહ્યો છે. આમાં તમે વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તમે 60 વર્ષ કે તેથી વધુ ઉંમર પછી ખાતું ખોલાવી શકો છો.
2. સુકન્યા સમૃદ્ધિ યોજના
આ સરકારી યોજનામાં રોકાણકારોને 8.2%ના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે. બાળકના જન્મ પછી, તમે 10 વર્ષની ઉંમર સુધી આ ખાતું ખોલાવી શકો છો. આમાં તમે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.
3. જાહેર ભવિષ્ય નિધિ
PPFમાં રોકાણકારોને 7.1%ના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે. તમે આ સ્કીમમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તમે આ ખાતું 15 વર્ષ સુધી ખોલી શકો છો.
4. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર
આ યોજનામાં, વ્યાજ દર 7.7% ના દરે ઉપલબ્ધ છે. તમે NSCમાં કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો. આમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી.
વધુ વાંચો: આ ભારતીય કંપનીએ આપી જોરદાર ઑફર, મળશે એક દિવસની ઇન્ટર્નશિપના રૂ. 3 લાખ, ખરેખર!"
5. ટાઈમ ડિપોઝીટ સ્કીમ
સમય થાપણ યોજનામાં, વ્યાજ દર 6.9 થી 7.5% સુધી ઉપલબ્ધ છે. આ યોજનાઓમાં રોકાણકારોને 80C હેઠળ કર મુક્તિનો લાભ મળે છે. આ સરકારી યોજનામાં પણ મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh