બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 03:55 PM, 16 June 2023
અતિ વિનાશક બિપોરજોય વાવાઝોડાના કારણે ગઈ કાલે હજારો અમદાવાદીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. ચોરે ને ચૌટે લોકો વાવાઝોડાની વાતો કરતા હતા. આજે પણ સવારથી ટીવી સામે લોકો ગોઠવાઈ ગયા છે. બિપોરજોય વાવાઝોડાથી ગઈ કાલે શહેરમાં ભારે વરસાદ તો નહોતો પડ્યો, પરંતુ તોફાની પવન ફૂંકાયો હતો. જોકે આ વાવાઝોડું જખૌ ખાતે ત્રાટકીને હવે ઉત્તર ગુજરાત થઈ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તેમ છતાં તેની અસર અમદાવાદમાં વર્તાશે અને હજુ ચાર દિવસ ગાજવીજ સાથેના તોફાની વરસાદમાં ભીંજાવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે. જૂનના છેલ્લા અઠવાડિયાથી અમદાવાદમાં ચોમાસું સત્તાવાર રીતે શરૂ થવાની શક્યતા છે.
બિપોરજોય વાવાઝોડાના કારણે ગઈ કાલનો આખો દિવસ લોકોએ ભારે ઉચાટમાં પસાર કર્યો હતો. આજે પણ આ વાવાઝોડાની અસર થવાની હોઈ લોકોએ ભારે પવન સાથેના તોફાની વરસાદથી સાચવવું પડશે. બિપોરજોય વાવાઝોડાથી અમદાવાદના તમામ બે લાખ સ્ટ્રીટ લાઇટના થાંભલા સુરક્ષિત રહ્યા હતા એટલે એક પણ વિસ્તારમાં લોકોને અંધારપટ સહેવો પડ્યો નહોતો. જોકે અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયાં હતાં.
શહેરમાં 34 ઝાડ પડવાની ફરિયાદ
ટાગોર હોલ ખાતેના મ્યુનિ. મોન્સૂન કન્ટ્રોલરૂમમાં ગઈ કાલ સાંજના 04:00 વાગ્યાથી આજે સવારના 06:00 વાગ્યા સુધીમાં કુલ 34 ઝાડ પડવાની ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે 5 જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં, જેમાં 5 ઉત્તર ઝોન, 1-1-1 પૂર્વ ઝોન, દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોનમાં વરસાદી પાણી ભરાઈ જવાની ફરિયાદ તંત્રને મળી હતી. ગઈ કાલ સાંજથી આ ફરિયાદના પગલે તંત્રના કર્મચારીઓએ કેચપિટનાં ઢાંકણાં ખોલીને તેનો નિકાલ કર્યો હતો. આજે પણ બિપોરજોય વાવાઝોડાની અસર રહેવાની હોઈ તમામ શાળાને બંધ રખાઈ છે. તમામ મ્યુનિ.બગીચાઓ પણ બંધ રખાયા છે. સાબરમતી રિવરફ્રન્ટ, અટલબ્રિજ અને કાંકરિયા લેકફ્રન્ટ પણ મુલાકાતીઓ માટે બંધ રહેવાના છે.
હવામાનની શું છે આગાહી ?
સ્થાનિક હવામાન વિભાગની આગાહી જણાવે છે કે, હજુ 4 દિવસ એટલે કે આજથી તા. 19 જૂન સુધી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આજે શહેરમાં 25થી 35 કિમીની ઝડપ ધરાવતા પવન ફૂંકાવાની આગાહીના પગલે સવારથી તેજ ગતિવાળા પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને વાહન ચલાવવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. અમદાવાદમાં સોમવાર, 19 જૂન સુધી તો ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, પરંતુ 20, 21 અને 22 જૂન એમ આ 3 દિવસ પણ શહેરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે એટલે શુક્રવાર તા.23 જૂનથી શહેરનું આકાશ સ્વચ્છ બનશે.
પોલીસનાં સંકલનથી મ્યુનિ. તંત્રએ ફરજ બજાવી
અમદાવાદ શહેર પોલીસ દ્વારા બિપરજોય વાવાઝોડાના સંકટ સમયે ખડેપગે કામગીરી કરાઈ હતી. ગઈ કાલે પોલીસતંત્રએ નાગરિકો માટે જોખમી બને તેવાં હોર્ડિંગ્સથી મ્યુનિશિપલ તંત્રને માહિતગાર કર્યું હતું. ઉપરાંત વરસાદી પાણી ભરાવાનાં સ્થળોથી પણ મ્યુનિશિપલ તંત્રને વાકેફ કરવામાં આવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh