બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / Not Virat or Shami, Rohit praised this player, said- he lived up to our expectations..
Megha
Last Updated: 02:53 PM, 3 November 2023
ટીમ ઈન્ડિયાએ ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 302 રનથી હરાવીને વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.આ જીતમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગ અને બોલિંગે બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી બેટિંગમાં શુભમન ગીલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા હતા.
Semi final calling 🤙 What a team! What an atmosphere! Enjoy the night, Mumbai 🇮🇳🤌 #CWC23 pic.twitter.com/moXcWakpHG
— Shreyas Iyer (@ShreyasIyer15) November 2, 2023
અમારું લક્ષ્ય પહેલા સેમિફાઈનલ અને ફાઈનલ જીતવાનું
રોહિતે મેચ બાદ કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે અમે સત્તાવાર રીતે સેમિફાઇનલમાં પહોંચ્યા છીએ. જ્યારે અમે ચેન્નાઈમાં શરૂઆત કરી ત્યારે અમારું લક્ષ્ય પહેલા સેમિફાઈનલ અને પછી ચોક્કસપણે ફાઈનલ માટે ક્વોલિફાય કરવાનું હતું.અમે જે રીતે સાત મેચ રમ્યા તે ખૂબ જ સારી રહી છે અને બધાએ પૂરતા પ્રયત્ન કર્યો છે.”
ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની ત્રિપુટીએ શ્રીલંકાના બેટ્સમેનોને ઘૂંટણિયે પડવા પર મજબૂર કર્યા હતા. જો કે મેચ બાદ આ બધા ખેલાડીઓમાંથી રોહિત શર્માએ એક ખેલાડીના વખાણ કર્યા હતા.
Rohit Sharma said - “Shreyas Iyer is strong lad. He is mentally very strong and the way he came played today was brilliant”. pic.twitter.com/3yaiv184Ak
— CricketMAN2 (@ImTanujSingh) November 2, 2023
શ્રેયસ કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર
રોહિત શર્માએ કહ્યું, 'શ્રેયસ ખૂબ જ મજબૂત ખેલાડી છે અને તેણે ક્રિઝ પર આવીને તે કર્યું જે તે માટે જાણીતો છે અને અમે તેની પાસેથી એવી જ અપેક્ષા રાખીએ છીએ. શ્રેયસે બતાવ્યું કે તે કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર છે. ભારતીય બોલરોએ પણ ટુર્નામેન્ટમાં કેટલાક ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેમના બેટ્સમેનોના પ્રયાસોને મદદ કરી હતી.' સાથે જ રોહિત તમામ પ્રકારની પરિસ્થિતિઓમાં પોતાના બોલરોનું દમદાર પ્રદર્શન જોઈને ખુશ હતો.
મેચમાં ભારતે 357 રન બનાવ્યા હતા
શ્રીલંકા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાને ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. ભારતીય ટીમે શુભમન (92), વિરાટ કોહલી (88) અને શ્રેયસ અય્યર (82)ની અડધી સદીના આધારે નિર્ધારિત 50 ઓવરની રમતમાં 7 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓ મેચમાં પોતાની સદી ચૂકી ગયા પરંતુ તે પછી સ્કોર 350 રન સુધી પહોંચી ગયો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh