બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / no confidence motion 2023 updates rahul gandhi speech in lok sabha parliament bjp congress news
Malay
Last Updated: 02:17 PM, 9 August 2023
સંસદના ચોમાસું સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. સાંસદ પદ પરત મળ્યા બાદ આજે પહેલીવાર સંસદ પહોંચેલા રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાના ભાષણમાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે કેન્દ્રની મોદી સરકારને આડેહાથ લીધી હતી.
આજે મણિપુર બચ્યું જ નથીઃ રાહુલ ગાંધી
મણિપુરને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ સુધી મણિપુર નથી ગયા, કેમ કે તેમના માટે મણિપુર હિન્દુસ્તાન નથી. મેં મણિપુર શબ્દનો પ્રયોગ કર્યો, પરંતુ આજનું સત્ય એ છે મણિપુર બચ્યું નથી, મણિપુરને તમે બે ભાગમાં વહેચી નાખ્યું છે. મણિપુરને તમે તોડી નાખ્યું છે. હું મણિપુરના રિલીફ કેમ્પમાં ગયો હતો. જ્યાં મેં મહિલાઓ અને બાળકો સાથે વાત કરી હતી, જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય કરી નથી.
મહિલાએ મને જે જણાવ્યું તે સાંભળીને હું ધ્રુજી ગયોઃ રાહુલ ગાંધી
વાયનાડના સાંસદ રાહુલ ગાંધી કહ્યું કે, મણિપુર રિલીફ કેમ્પમાં એક મહિલાને મેં જ્યારે પૂછ્યું કે તમારી શું થયું તો જવાબમાં મહિલાએ કહ્યું કે મારો એકને એક જ દિકરો હતો, જેને મારી આંખોની સામે ગોળી મારી દીધી, હું આખી રાત તેના મૃતદેહ સાથે સૂતી રહી અને પછી મને બીક લાગી. મેં મારું ઘર છોડી દીધું. હું બધું છોડીને નીકળી ગઈ.
મણિપુર નહીં હિન્દુસ્તાનની કરી હત્યાઃ રાહુલ ગાંધી
તેઓએ જણાવ્યું કે, અન્ય એક મહિલાને મેં જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે આ મહિલા થરથર ધ્રુજવા લાગી અને પછી મારી સામે જ બેહોશ થઈ ગઈ. હજુ તો મેં આ બે ઉદાહરણ આપ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ તમામે તો મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા કરી છે, માત્ર મણિપુર નહીં હિન્દુસ્તાનની હત્યા કરી છે, મણિપુરને નહીં હિન્દુસ્તાનને મણિપુરમાં માર્યું છે. હિન્દુસ્તાનનું મર્ડર કર્યું છે. આટલું બોલતા જ ભાજપના સાંસદો લાલઘુમ થઈ ગયા અને હોબાળો મચાવવા લાગ્યા હતા.
'તમે દેશદ્રોહી છો, તમે દેશભક્ત નથી'
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, તમે લોકોએ મણિપુરમાં ભારત માતાની હત્યા કરી નાખી છે. તમે મણિપુરના લોકોને મારીને ભારતની હત્યા કરી છે. તમે દેશદ્રોહી છો, તમે દેશભક્ત નથી, તમે મણિપુરમાં દેશને માર્યો. એટલા માટે તમારા વડાપ્રધાન મણિપુર જઈ શકતા નથી. કારણ કે તેઓએ મણિપુરમાં ભારત માતાની હત્યા કરી છે.
પીએમ મોદી બે લોકોનું જ સાંભળે છેઃ રાહુલ ગાંધી
તેઓએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ભારતનો અવાજ નથી સાંભળતા તેઓ બે લોકોનો અવાજ સાંભળે છે. રાવણ બે લોકોની વાત સાંભળતો હતો. મેઘનાદ અને કુંભકર્ણ. એવી જ રીતે નરેન્દ્ર મોદી બે લોકોનું સાંભળે છે. અમિત શાહ અને અદાણી. હનુમાને લંકા ન હોતી સળગાવી, લંકાને તો રાવણના અહંકારે સળગાવી હતી. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો મચી ગયો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh