બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Priyakant
Last Updated: 12:53 PM, 28 January 2024
Nitish Kumar Resigned : નીતિશ કુમારે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે NDAના સમર્થન સાથે નવી સરકાર બનાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે JDU વિધાયક દળની બેઠક દરમિયાન નીતિશ કુમારે ભાજપના દિગ્ગજ નેતા સાથે ફોન પર વાત કરી હતી. દરમિયાન શપથ ગ્રહણ માટે રાજભવન ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નીતિશ કુમાર આજે જ નવમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.નીતિશ કુમારે ભાજપ ધારાસભ્યોના સંમતિપત્ર સાથે રાજ્યપાલ સમક્ષ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
બિહારની રાજનીતિમાં ઘણા દિવસોથી ચાલી રહેલ ઉથલપાથલ હવે શાંત થઈ ગઈ છે. RJD સાથે ગઠબંધન ખતમ કરતા નીતિશ કુમારે આજે બપોરે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. નીતિશ કુમારના રાજીનામાની સાથે જ ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. બિહારની આ નવી સરકારમાં એક CM અને બે ડેપ્યુટી CMની ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે. આમાં નીતિશ કુમારને ફરીથી CM બનાવવામાં આવશે જ્યારે બંને ડેપ્યુટી CM BJPના હશે. ડેપ્યુટી CM પદ માટે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાનું નામ સામે આવ્યું છે.
બિહારમાં બે ડેપ્યુટી CMની ફોર્મ્યુલાની સાથે ભાજપે લોકસભા ચૂંટણી માટે જાતિ સમીકરણને ઉકેલવાની પણ તૈયારી કરી લીધી છે. બંને ડેપ્યુટી CMમાં એક તરફ સમ્રાટ ચૌધરી કુશવાહા સમુદાયમાંથી આવે છે અને બીજી તરફ વિજય સિંહા ભૂમિહાર સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં માત્ર ઓબીસી સમુદાયને જ નહીં પરંતુ સામાન્ય વર્ગના મતદારોને પણ આકર્ષવા માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે,આજે સાંજ સુધીમાં નીતીશ કુમાર બિહારમાં નવી સરકાર હેઠળ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ અંગે પણ સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે.
#WATCH | Patna | After being elected as the Leader of the Legislative Party, state BJP chief Samrat Chaudhary says, "BJP did a historic thing for my life...This is an emotional moment for me to have been elected as the Leader of the Legislative Party to be a part of the… pic.twitter.com/NYq6GKp8Ht
— ANI (@ANI) January 28, 2024
નીતિશ કુમારના રાજીનામાં બાદ BJP ધારાસભ્યો CM આવાસ પહોંચશે. જે બાદમાં ભાજપ ધારાસભ્યોના સંમતિપત્ર સાથે નીતિશ કુમારે રાજ્યપાલ સમક્ષ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.
#WATCH | Patna | Bihar outgoing CM and JD(U) president Nitish Kumar says, "Today, I have resigned as the Chief Minister and I have also told the Governor to dissolve the government in the state. This situation came because not everything was alright...I was getting views from… pic.twitter.com/wOVGFJSKKH
— ANI (@ANI) January 28, 2024
શું કહ્યું નીતિશ કુમારે ?
રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે, હું કામ કરી રહ્યો હતો પરંતુ મને કામ કરવા દેવામાં આવી રહ્યું નથી. જેના કારણે લોકો દુઃખી થયા હતા. તેમણે કહ્યું, 'આજે મેં રાજીનામું સુપરત કર્યું છે. અમે અમારા લોકોનો, પક્ષનો અભિપ્રાય સાંભળ્યો અને તેથી આજે અમે રાજીનામું આપી દીધું અને જે સરકાર હતી તેને ખતમ કરી દીધી. ત્યાંના લોકો જે રીતે દાવો કરતા હતા તે લોકોને ખરાબ લાગતું હતું. આજે અન્ય પક્ષો જે અગાઉ સાથે હતા તે નક્કી કરશે. આગળ શું થાય છે તે જોઈશું.
Nitish Kumar tendered his resignation as the Chief Minister of Bihar to Governor Rajendra Arlekar. The Governor accepted the resignation and deputed him as the Acting CM. pic.twitter.com/uaDXROe6PA
— ANI (@ANI) January 28, 2024
બિહાર વિધાનસભાની શું છે સ્થિતિ ?
બિહાર વિધાનસભાની સંખ્યાની રમત વિશે વાત કરીએ તો 243 સભ્યોના ગૃહમાં બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડો 122 ધારાસભ્યોનો છે. લાલુ યાદવની આગેવાની હેઠળની RJD 79 સભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે, જ્યારે ભાજપ 78 ધારાસભ્યો સાથે બીજા સ્થાને છે. નીતિશ કુમારની પાર્ટી JDU 45 ધારાસભ્યો સાથે ત્રીજી પાર્ટી છે. કોંગ્રેસ પાસે 19 અને ડાબેરીઓ પાસે 16 ધારાસભ્યો છે. જો આપણે RJD, કોંગ્રેસ અને ડાબેરીઓના ધારાસભ્યોની સંખ્યા ઉમેરીએ તો કુલ સભ્યોની સંખ્યા 114 સુધી પહોંચે છે, જે બહુમત માટે જરૂરી જાદુઈ આંકડા કરતા આઠ ઓછી છે.
વધુ વાંચો: નીતિશ કુમારે આપ્યું રાજીનામું: બિહારમાં હજુ બાકી છે 'ખેલા'? શું કરશે ભાજપ?
નીતિશ કુમારે ક્યારે યુ-ટર્ન લીધો?
નીતીશ કુમારે 1994માં જનતા દળથી અલગ થઈને સમતા પાર્ટી બનાવી હતી. આ પછી 30 ઓક્ટોબર 2003ના રોજ જનતા દળ યુનાઈટેડની રચના થઈ અને 2005ની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું. 2013માં ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું.
આ પછી નીતીશ કુમારે વર્ષ 2015માં RJD અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2017માં નીતિશે RJD છોડીને ફરી એકવાર ભાજપમાં જોડાયા હતા.
ચાર વર્ષ પછી નીતીશ કુમારે વર્ષ 2022માં ફરી એકવાર ભાજપ છોડીને RJD સાથે હાથ મિલાવ્યા. હવે ફરી દોઢ વર્ષ બાદ નીતિશ RJD છોડીને ભાજપ સાથે ગઠબંધન કરે તેવી અટકળો ચાલી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir