બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / new parliament building national flag hoisting congress mallikarjun kharge cwc hyderabad meeting
Manisha Jogi
Last Updated: 08:51 AM, 17 September 2023
સોમવારથી સંસદનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. વિશેષ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા સંસદ ભવનમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સંસદ ભવનમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ કાર્યક્રમમાં શામેલ થવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ આ સમારોહમાં શામેલ નહીં થાય છે. મલ્લિકાર્જુન ખડગેએ આરોપ મુક્યો છે કે, તેમને ખૂબ જ મોડા આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજ્યસભા મહાસચિવ પીસી મોદીને પણ પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે.
કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજીના અવસરે 17 સપ્ટેમ્બરના રોજ કાર્યક્રમ છે, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને 15 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સરકારને પહેલેથી જ જાણકારી હતી કે, હૈદરાબાદમાં 16-17 સપ્ટેમ્બરના રોજ અમારી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક યોજાઈ રહી છે.
આ ચિટ્ઠી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું છે કે, ‘હું આ ચિટ્ઠી ખૂબ જ નિરાશા સાથે લખી રહ્યો છું. સંસદ ભવનમાં યોજાનાર ધ્વજારોહણ માટે મને 15 સપ્ટેમ્બરના રોજ સાંજે આમંત્રણ આપવામાં આવ્યું, જે ખૂબ જ મોડુ આમંત્રણ આપવામાં આવ્યું છે. હું CWCની બેઠકમાં હૈદરાબાદમાં હોઈશ. આ કાર્યક્રમ પહેલેથી જ આયોજિત છે. હું 17 સપ્ટેમ્બરના રોજ રાત્રે દિલ્હી પરત ફરીશ, તેથી આવતીકાલે સવારે ધ્વજારોહણ કાર્યક્રમમાં શામેલ નહીં થઈ શકું.’
“Meetings of newly constituted Congress Working Committee have been scheduled for 16th and 17th September in Hyderabad and will not be feasible to attend flag hoisting function at New Parliament building tomorrow” - Mallikarjun Kharge in a letter to the Secretary General of Rajya… pic.twitter.com/h8xpWsJJbr
— Amitabh Chaudhary (@MithilaWaala) September 16, 2023
કાર્યક્રમમાં કોણ હાજર રહેશે
લોકસભા સચિવાલય અનુસાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંસદ ભવનના ગજદ્વાર પર ઝંડો લહેરાવશે. આ અવસરે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ, કેન્દ્રીય સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરન તથા રાજ્યસભા અને લોકસભાના વિવિધ પક્ષોના નેતાઓ પણ હાજર રહેશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh