બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / New employment This city has become a mini Surat peoples luck has shined
Kishor
Last Updated: 11:44 PM, 22 August 2022
લોકડાઉનમાં રોજગારી છીનવાઇ જતાં 700 રત્નકારો સુરતના બદલે મહિસાગર હીરા ધસવાનુ કામ શરૂ કર્યું જેના થકી આજે જિલ્લાના કારખાનાંમાં 1500 થી 2000 હજાર રત્નકારોને રોજી રોટી મળી રહે છે. કારખાનાંઓ માં રોજ 20 હજાર ડાયમંડ ધસાઇને સૂરત મોકલાય છે. કોરોના બાદ જિલ્લામાં 35 જેટલા હિરા ધસવાના કારખાનાં ખુલ્યા મહિસાગરમાં તૈયાર થયેલા હિરાઓ મોટાભાગના ચાઇના જાય છે. દેશભરમાં હીરા ધસવાના કારખાનાંઓ સૂરત શહેરમાં આવેલા છે. ત્યારે ચાઇના જતાં કુલ હિરાઓ માં 15 ટકા જેટલા હિરાઓ મહિસાગર જિલ્લામાંથી ધસાઇ જતાં હોવાનું જાણીને આશ્ચર્ય થાય છે. મહિસાગર જિલ્લો હિરાના કારખાનાં માટેનું મીની સુરત બન્યું છે.
1500 જેટલા રત્નકારો કામ કરીને મેળવે છે રોજીરોટી
જિલ્લામાં હિરા ધસવાના 50 થી વઘુ કારખાનાંઓ આવેલા છે. મહિસાગર જિલ્લામાં હીરા ધસવાના કારખાના ઓમા છેલ્લા 10 થી 15 વર્ષથી છે. પણ કોરોના બાદ 35 જેટલા હિરા ધસવાના કારખાનાંઓ શરૂ થતા સ્થાનીક યુવાનોને રોજગારી મળે છે.જિલ્લામાં 50થી વધુ હીરા ધસવાના કારખાનાં ઓ મા રોજ 20 હજાર જેટલા હીરાઓને ધસીને સૂરત મોકલવામાં આવે છે. મહિસાગરમાં મીડીયમ હીરાઓનું કામ થયા છે. જેમાંથી મોટાભાગના હીરાઓ ચાઇના સહિત વિદેશોમાં જાય છે હિરા ધસવાના કારખાનાંઓ માં કુલ 1500 જેટલા રત્નકારો કામ કરીને રોજીરોટી મેળવે છે.
700 જેટલા કારીગરો સુરતને બદલે મહિસાગરમાં હીરા ધસવાનું કામ શરૂ કર્યુ
કોરોના મહામારીમાં લોકડાઉન બાદ મહિસાગર જિલ્લાના 700 જેટલા કારીગરો સુરતને બદલે મહિસાગરમાં હીરા ધસવાનું કામ કર્યુ છે. હિરાનું 25 ટકા કામ સૂરતમાં થયા બાદ 75 ટકા કામ મહિસાગર જિલ્લામાં કરવામાં આવે છે. રોજ એક કારીગર 100 થી 150 ડાયમંડનું કામ કરીને મહિને 10 થી 12 હજારની કમાણી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. કારખાનાંઓ માં 50 હજાર ડાયમંડમાંથી બે હજાર ડાયમંડ ફેઇલ જતા નુકસાની સંચાલકને ભોગવી પડે છે. હીરાના કારખાનાંના સંચાલકોને સરકાર તરફથી યોગ્ય માર્ગદર્શન સાથે સહાય આપવામાં આવે તો મહિસાગર હીરા ધસવાનું સુરત બાદ મુખ્ય કેન્દ્ર બની શકે તેમ છે.
હિરાનું 75 ટકા કામ મહિસાગરમાં થાય છે
હિરાનું 75 ટકા કામ મહિસાગરમાં થાય છે. મહિસાગરમાં લીમડીયા ચોકડી પર 16, વડાગામમાં 11, વિરપુર તાલુકામાં 5, બાકોરમાં 2, લુણાવાડામાં 5, મુનપુરમાં 1, કડાણામાં 1, મલેકપુરમાં 1 તથા વરધરી સહિત જિલ્લામાં 50 થી વધુ હિરા ધસવાના કારખાનાંઓ આવેલા છે. કારખાનાંઓ માં એક હિરો ત્રણ રત્નકારોમાં હાથમાંથી પસાર થઇને તૈયાર થયા છે.સૂરતથી 25 ટકા કામ કરીને ધાટ વાળો મિડીયમ ડાયમંડ મહિસાગર આવ્ય બાદ રત્નકાર ડાયમંડના મથાળાં કરવાના 4.50 થી 6 રૂ, પેલ કાપવાના 4.30 થી 6 રૂ તથા તળીયાનું કામ 7 થી 9 રૂ સુધીનું કામ કરીને 75 ટકા હીરાનું કામ પુર્ણ કરે છે. રત્નકારો રોજ 100 થી 150 હિરાનું કામ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh