બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni Surgery: Good news for CSK fans, Dhoni's knee surgery successful; Will be released soon
Pravin Joshi
Last Updated: 09:38 PM, 1 June 2023
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ઘૂંટણની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે. ગુરુવારે માહીએ મુંબઈની એક હોસ્પિટલમાં તેના ડાબા ઘૂંટણની સર્જરી કરાવી હતી. આઈપીએલની આ સિઝનમાં તે ખૂબ જ પીડામાં હતા અને વિકેટ કીપિંગ દરમિયાન લંગડાતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ધોનીએ IPL પછી તરત ઘૂંટણની પહેલી સર્જરી કરાવી. IPL ટ્રોફી જીત્યાના 48 કલાકની અંદર તેણે મુંબઈના જાણીતા ઓર્થોપેડિક ડોક્ટર દિનશા પારડીવાલાનો સંપર્ક કર્યો હતો. તે BCCIની મેડિકલ પેનલનો પણ ભાગ છે અને તેણે ઘણા દિગ્ગજ ક્રિકેટરો પર સર્જરી કરી છે. જેમાં ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો સમાવેશ થાય છે.
MS Dhoni undergoes successful knee surgery following CSK's fifth IPL win
— ANI Digital (@ani_digital) June 1, 2023
Read @ANI Story | https://t.co/ZimaSRvMrH#MSDhoni #CSK #ChennaiSuperKings #cricket pic.twitter.com/jm9Wpz57yW
એક-બે દિવસમાં રજા આપી દેવામાં આવશે
CSKના મેનેજમેન્ટની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, હા, ધોનીએ ગુરુવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ઘૂંટણની સફળ સર્જરી કરાવી છે. તે સ્વસ્થ છે અને એક-બે દિવસમાં રજા આપી દેવામાં આવશે. તેમનું પુનર્વસન શરૂ કરતા પહેલા તે થોડા દિવસો આરામ કરશે. હવે એવું લાગે છે કે તેની પાસે આગામી IPLમાં રમવા માટે ફિટ થવા માટે પૂરતો સમય હશે. CSKના CEO કાસી વિશ્વનાથને ખુલાસો કર્યો કે ગુરુવારે તેની સર્જરી બાદ તેણે ધોની સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ઓપરેશન બાદ ધોની સાથે વાતચીત થઈ હતી. તે કઈ સર્જરી કરવામાં આવી હતી તેના વિશે વધારે ખ્યાલ નથી. પરંતુ તે ચોક્કસપણે જાણવા મળ્યું હતું કે તે કી-હોલ સર્જરી હતી. અમારી વાતચીતમાં તેની હાલત અને સ્થિતિ સારી લાગી રહી હતી.
Always our driving force pushing us forward!🦁#ThalaThalaDhan #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/0cvYYzmwJs
— Chennai Super Kings (@ChennaiIPL) May 31, 2023
ધોનીની પત્ની હોસ્પિટલમાં હાજર
મળતી માહિતી મુજબ સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાત ડૉ. દિનશા પારડીવાલાએ ધોનીની સર્જરી કરી હતી. આ પહેલા તેમણે રિષભ પંતનું ઓપરેશન કર્યું હતું. તેણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ધોનીનું ઑપરેશન કર્યું હતું. ધોનીની પત્ની સાક્ષી હોસ્પિટલમાં તેની સાથે છે. ધોનીને 31 મે, બુધવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
To every Superfan who believed and whistled! 🥳#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/eGVDdpp7Bm
— Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023
ધોનીને સાજા થવામાં બે મહિના લાગશે
નોંધનીય છે કે CSK મેનેજમેન્ટે ધોનીની સારવારની દેખરેખ માટે મુંબઈમાં તેની ટીમ ડૉક્ટર ડૉ. મધુ થોટ્ટાપિલની નિમણૂક કરી છે. તેના સંપૂર્ણ સ્વસ્થ થવાનો ચોક્કસ સમય હજુ જાણી શકાયો નથી, પરંતુ અંદાજ છે કે ધોની લગભગ 2 મહિનામાં સ્વસ્થ થઈ જશે.
ચેન્નાઈએ પાંચમું ટાઈટલ જીત્યું છે
તમને જણાવી દઈએ કે સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને તેનું પાંચમું ટાઇટલ જીત્યું હતું. ચેન્નાઈ બીજી ટીમ બની જેણે IPLનું પાંચમું ટાઈટલ જીત્યું. ચેન્નાઈ પહેલા મુંબઈએ પાંચ ટ્રોફી જીતી છે. IPL ફાઈનલ જીત્યા બાદ ધોનીએ કહ્યું કે દર્શકોનો પ્રેમ જોયા બાદ તે વધુ એક સિઝન રમવા માંગે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh