બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Malay
Last Updated: 09:59 AM, 7 August 2023
સુરત શહેરમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યાના કારણે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ઝેરી મેલેરિયા, કોલેરા સહિતના કેસના કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી છે. સુરત શહેરમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે રોગચાળાના આંકડામાં 15% જેટલો વધારો જોવા મળ્યો છે. વરસાદી રોગચાળાને કારણે સુરત શહેરમાં અત્યાર સુધીમાં 21 વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે. રોગચાળાને ડામવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહી છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે.
વધુ એક યુવકનું તાવમાં સપડાતાં મોત
શહેરના પાંડેસરાના ગણેશ નગરમાં વધુ 1 યુવકનું તાવમાં સપડાતાં મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશ નગર ખાતે રહેતા ટુના રન્કા ગૌડા નામના યુવકને શનિવારે તાવ આવ્યા બાદ મોડી સાંજે તબિયત લથડી હતી. જે બાદ બેભાન હાલતમાં આ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. જે બાદ યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, આ જ વિસ્તારમાં છેલ્લા 20 દિવસમાં તાવ, ઉલટી સહિતના રોગચાળામાં કુલ 8 લોકોના મૃત્યુ થયા છે. જેના કારણે આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
ઉલટી અને તાવને કારણે 2 યુવકોના થયા હતા મોત
આપને જણાવી દઈએ કે, સુરતમાં ગત 3 ઓગસ્ટે પણ ઉલટી અને તાવને કારણે 2 યુવકોના મોત નિપજ્યા હતા. શહેરના ગોડાદરાના 19 વર્ષીય યુવકને મંગળવારે ઝાડા ઉલટી થયા હતા. બુધવારની સવારે તે બેહોશ થતા તેને હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, હોસ્પિટલ ખાતે સારવાર મળે તે પહેલા જ યુવકનું મૃત્યુ નિપજ્યું હતું.
શહેરમાં રોગચાળો વકરતા નાગરિકોની ચિંતામાં વધારો
જ્યારે શહેરના ઉધનાના 39 વર્ષીય યુવકને અઠવાડિયા બાદ ફરી આવ્યો તાવ હતો. જે બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું. આપને જણાવી કે, શહેરમાં છેલ્લા 20 દિવસમાં 21 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. શહેરમાં રોગચાળાને કારણે થતા મૃત્યુથી લોકોની ચિંતામાં થયો વધારો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh