બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Microsoft Bill Gates also liked Prime Minister Narendra Modis Mann Ki Baat
Kishor
Last Updated: 06:12 PM, 29 April 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નો 100 મો એપિસોડ આગામી રવિવારે પ્રસારિત થશે. ત્યારે આ કાર્યક્રમ માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સને પણ ખૂબ જ પસંદ આવ્યો છે. તેઓએ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. બિલ ગેટ્સે ટ્વિટ કરી અને જણાવ્યું કે 'મન કી બાત' કાર્યક્રમેં સ્વચ્છતા, સ્વાસ્થ્ય, મહિલાના આર્થિક વિકાસ સહિતના મામલે આવકારદાયક કામગીરીને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે.
Mann ki Baat has catalyzed community led action on sanitation, health, women’s economic empowerment and other issues linked to the Sustainable Development Goals. Congratulations @narendramodi on the 100th episode. https://t.co/yg1Di2srjE
— Bill Gates (@BillGates) April 29, 2023
76 ટકા ભારતીય મીડિયાકર્મીઓ એવું માને છે કે...
બીજી તરફ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન (આઈઆઈએમસી) દ્વારા મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યા મુજબ 76 ટકા ભારતીય મીડિયાકર્મીઓ એવું માને છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયોના આ કાર્યક્રમે ઓરીજનલ ભારતનો પરિચય કરાવ્યો છે. આ સર્વેમાં 75 ટકા લોકો એવું માને છે કે મન કી બાત કાર્યક્રમ એક એવા પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે જ્યાં લોકોને એવા વ્યક્તિઓથી પરિચિત કરવામાં આવે છે કે જે સામાન્ય માણસના જીવનમાં અર્થપૂર્ણ બદલાવ લાવવા માટે નિસ્વાર્થ ભાવે કામ કરે છે.
આઈઆઈએમસી સંસ્થાના આઉટરીચ વિભાગ દ્વારા કરાયો સર્વે
આઈઆઈએમસી સંસ્થાના આઉટરીચ વિભાગ દ્વારા આ સર્વે 12 થી 25 એપ્રિલ દરમિયાન કરવામાં હોવાનું સંસ્થાના ડાયરેક્ટર જનરલ પ્રો. સંજય દ્વિવેદીએ જણાવ્યું હતું. જેમાં દેશની 116 શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને મીડિયા સમૂહ 890 પત્રકારો, મીડિયા ફેકલ્ટી, મીડિયા સંશોધકો અને માસ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ જોડાયા હતા. વધુમાં 326 મહિલાઓ અને 564 પુરૂષો સાથેના આ સર્વેમાં સામેલ 66 ટકા લોકો 18 થી 25 વર્ષની વય જૂથના હતા. 'દેશ વિશેની માહિતી' અને 'વડાપ્રધાનનું દેશ પ્રત્યેનું વલણ' એ બે કારણોએ લોકોને કાર્યક્રમ નિહાળવા પ્રેરિત કર્યા હોવાનું સંશોધનમાં જોડાયેલા લોકોએ જણાવ્યું હતું. અભ્યાસમાં સામેલ લોકોમાંથી 63 ટકા લોકોએ કહ્યું કે તેઓ અન્ય માધ્યમોની સરખામણીમાં યુટ્યુબ પર 'મન કી બાત' સાંભળે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh