બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / meeting, organized, Minister of State for Home, Harsh Sanghvi, planning, Rathyatra,
Kishor
Last Updated: 05:53 PM, 29 June 2022
અષાઢી બીજના પાવન પર્વને આડે હવે ઘડીઓ ગણાઈ રહી છે. અષાઢી બીજ નિમિતે રાજ્યના અનેક શહેરો અને અલગ-અલગ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યા છે ત્યારે રથયાત્રા દરમિયાન સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ગૃહ વિભાગ એલર્ટ થયું છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. તેમણે રાજ્યના તમામ જિલ્લાના SP અને પોલીસ કમિશનર સાથે બેઠક યોજી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. રથયાત્રાના આયોજનને લઇને યોજાયેલી બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ATS, IB સહિતની એજન્સીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રથયાત્રા પર ડ્રોન કેમેરાથી પણ નજર રખાશે
વધુમાં રાજકોટમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. અષાઢી બીજ નિમિતે રાજકોટમાં 22 કિલોમીટરના રૂટ પર રથયાત્રા યોજાઈ તેવું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાના આયોજનને લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવશે. એટલું જ નહી રથયાત્રા પર ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે.અષાઢી બીજના દિવસે 6 અલગ-અલગ શોભાયાત્રા નીકળશે. રથયાત્રા દરમિયાન પોલીસ કમિશનર, 2 DCP, 5 ACP બંદોબસ્તમાં રહેશે. ઉપરાંત 16 PI, 51 PSI, 10 મહિલા PSI અને 1307 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડેપગે રહેશે.
વધુમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પર કેમેરા ગોઠવી નજર રાખવામાં આવશે અને 60 બોડી વોર્ન કેમેરા લગાવી જવાનો બંદોબસ્તમાં ગોઠવાશે. વધુમાં પોલીસ કંટ્રોલરૂમાંથી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. તેમ પોલીસ આલમમાંથી જાણવા મળી રહ્યું છે.
અમવાદમાં રથયાત્રામાં પ્રથમવાર પેરામોટરનો ઉપયોગ થશે
અમદાવાદમાં રથયાત્રામાં 4 DIG, 20 SP , 38 DCP ,60 DYSP, 150 PI, 300 PSI સહિત 25 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે. આ રથયાત્રામાં પ્રથમવાર પેરામોટરનો ઉપયોગ થશે. આકાશમાં ઉડી શકે તે પ્રકારની પેરામોટરનો ઉપયોગ થશે. ડ્રોનની સાથે-સાથે પેરામોટરથી પણ નજર રહેશે. પોલીસે GMDCમાં પેરામોટરનું ટ્રાયલ પણ કર્યું છે. પેરાગ્લાઈડિંગથી આકાશમાંથી નજર રાખવામાં આવશે. પોલીસ જવાનો પેરાગ્લાઇડ કરી આકાશમાંથી નજર રાખશે. ગોકાર્ટ સાથે પેરાશુટથી જોડાયેલા વાહનનો ઉપયોગ કરાશે.
હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિમાં હાજરી આપી
"રથયાત્રા પૂર્વેનો મહોત્સવ એટલે નેત્રોત્સવ " રથયાત્રાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં નેત્રોત્સવ વિધિમાં હાજરી આપી હતી. આ તકે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીની મહાઆરતી કરી હતી. જે વેળાએ સમગ્ર મંદિર પરિસર જય રણછોડરાયજીના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું.
"રથયાત્રા પૂર્વેનો મહોત્સવ એટલે નેત્રોત્સવ "
— Harsh Sanghavi (@sanghaviharsh) June 29, 2022
રથયાત્રાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજરોજ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં નેત્રોત્સવ વિધિ સંપન્ન કરીને સંત-મહંતોની ગરીમામય ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીની મહાઆરતી કરીને સમગ્ર મંદિર પરિસરને રણછોડરાયજી ના નાદે ગુંજતું કર્યું... pic.twitter.com/P7P8dLmtnu
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir