બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Mass suicide in Galateshwar of Kheda, Mother with two children jumped into the canal.

BIG BREAKING / ખેડાના ગળતેશ્વરમાં સામુહિક આપઘાત,બે બાળકો સાથે માતાએ કેનાલમા ઝંપલાવ્યું,પતિ અમદાવાદમાં કરે છે મજુરી કામ

Vishal Khamar

Last Updated: 06:51 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગળતેશ્વરમાં માતાનો પોતાના દિકરા-દિકરી સાથે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે મહિલાએ 5 વર્ષની દિકરી અને 3 વર્ષનાં દિકરા સાથે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.

  • ગળતેશ્વરમાં માતાનો પોતાના દિકરા-દિકરી સાથે આપઘાત
  • ઠાસરાના ઉનાળિયા ગામે ગઈકાલે નિકળી હતી માતા
  • 2 બાળકો સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું

ગળતેશ્વરમાં માતાનો પોતાના દિકરા-દિકરી સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.  ઠાસરાના ઉનાળિયા ગામેથી ગઈકાલે માતા નીકળી હતી. ત્યારે બે બાળકો સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું છે. 5 વર્ષની દિકરી અને 3 વર્ષનાં દિકરા સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારે મહિલાનો પતિ અમદાવાદમાં મજૂરી કામ કરે છે.  સેવાલીયા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે મહિલાએ શા કારણે આપઘાત કર્યો તે હજુ અકબંધ છે. 

ભુપતભાઈ(સરપંચ)

ગત રોજ મહિલા તૈયાર થઈને નીકળી ગયા હતાઃ સરપંચ
આ બાબતે ભુપતભાઈએ જણાવ્યું હતું કે,  હું ગામનો સરપંચ છું.  જે મહિલા તેમજ બાળકોની લાશ મળી આવી એ મારા ગામનાં છે.  તે ગત રોજ 10 થી 11  વાગ્યાનાં સુમારે તૈયાર થઈને નીકળ્યા હતા.  જે બાદ તેમની લાશ મળી આવી છે.  જે મહિલાની લાશ મળી આવી છે તેમની માનસિકતા થોડી ઓછી છે. 

રાઠોડ ગોપાલભાઈ રામાભાઈ

અગાઉ પણ મહિલા આવી રીતે બે-ત્રણ વખત ચાલ્યા ગયા હતાઃ રાઠોડ ગોપાલભાઈ રામાભાઈ
આ બાબતે રાઠોડ ગોપાલભાઈ રામાભાઈએ જણાવ્યું હતું કે,  એ બેન કાલે 11 વાગ્યાથી મારા પિયર જવું છું તેમ કહી બાળકો સાથે નીકળી ગયા હતા. અને અમને કંઈ પણ જાણ કરી ન હતી.  માત્ર એટલું જ કહ્યું હતું કે હું બાળકો સાથે પિયર જવું છું. તેમ કહી નીકળી ગયા હતા.  ત્યારે મૃતક મહિલાનાં પતિ મજૂરી કામ કરે છે. સવારે તેઓ અમદાવાદ જાય અને સાંજે પરત આવે છે.  બહેન માનસિક રીતે  અસ્થિર છે.  અગાઉ પણ બે-ત્રણ વખત બહેન નીકળી ગયા હતા. પરંતું અમે તેમને શોધીને પરત લાવ્યા હતા.  પહેલા એકલા જતા રહેતા હતા આ વખતે તેઓ બાળકોને લઈને નીકળ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ