બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Priyakant
Last Updated: 09:44 AM, 22 April 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સંબંધિત રાજ્યોમાં ધાર્યા કરતાં ખૂબ જ ઓછી મતદાન થયું હતું. વિગતો મુજબ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનનો આંકડો લગભગ 65.5 ટકા પર પહોંચી ગયો છે. ગયા શુક્રવારે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. લોકસભા ચૂંટણી માટે હવે 6 વધુ તબક્કા બાકી છે (26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂન). 4 જૂને મતગણતરી થશે. ગત સામાન્ય ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનમાં લગભગ 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. ચૂંટણી પંચ પણ આને લઈને ચિંતિત છે અને મતદાન વધારવા માટે કેટલીક નવી રણનીતિઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
એક ખાનગી મીડિયાના અહેવાલ અનુસાર ચૂંટણી પંચ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઓછા મતદાનને લઈને ચિંતા વધી છે. મતદાન વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેનું બહુ પરિણામ આવ્યું નથી. અધિકારીએ કહ્યું કે, ECએ લોકોને વોટ કરવા માટે પ્રેરિત કરવામાં જબરદસ્ત કામ કર્યું છે. આ અંગે અનેક યોજનાઓ બનાવવામાં આવી હતી. તેમજ વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ માટે જાણીતી હસ્તીઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી. BCCIના સહયોગમાં IPLનો ઉપયોગ પ્લેટફોર્મ તરીકે પણ કરવામાં આવ્યો હતો. જોકે એવું લાગે છે કે આ પ્રયાસો અપૂરતા સાબિત થયા છે.
વધુ વાંચો : વેકેશનમાં વૈષ્ણોદેવીના દર્શને જવા મળશે કન્ફર્મ ટિકિટ, રેલવેએ કરી મોટી જાહેરાત
ઓછા મતદાન માટેના કારણો પર વિચારણા
જો સૂત્રોનું માનીએ તો EC અધિકારીઓ હાલમાં મતદાનની ટકાવારી ઘટવાના કારણો પર વિચાર કરી રહ્યા છે. સપ્તાહના અંતે આ અંગે બેઠકો યોજવામાં આવી હતી અને વિવિધ કારણોની ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી પંચ હવે કેટલાક નવા કાર્યક્રમો સાથે આગળ આવશે અને મતદારોને જાગૃત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી રવિ કુમારે કહ્યું કે, સમગ્ર રાજ્યમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે મતદાન પછી તેમની સંસ્થાઓ સાથે સંકળાયેલા તમામ મતદાર જાગૃતિ મંચો મતદારોના પ્રતિસાદ વિશે પંચને જાણ કરશે. આ માટે બિનસરકારી સંસ્થાઓમાં મતદાર જાગૃતિ મંચની રચના કરવામાં આવી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા