બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Bijal Vyas
Last Updated: 12:31 PM, 6 July 2023
Thursday Puja: સનાતન પરંપરા અનુસાર, અઠવાડિયાનો દરેક દિવસ કોઇને કોઇ દેવી- દેવતાની પૂજા માટે સમર્પિત છે. ગુરુવારનો દિવસ શ્રી હરિ અને દેવગુરુ બૃહસ્પતિની પૂજા માટે વિશેષ લાભકારી માનવામાં આવે છે. જો તમારા જીવનમાં હંમેશા સમસ્યાઓ આવતી હોય અથવા તમારી કુંડળીમાં કોઈ ખામી હોય તો ગુરુવારે આ દેવી-દેવતાઓની પૂજા કરવાથી ફળ મળે છે. આ સિવાય બીજા પણ ઘણા ઉપાય છે, જેને કરવાથી સાધકને શુભ ફળ મળે છે. આવો તો જાણીએ એવા કેટલાક અસરકારક ઉપાયો વિશે.
1. ધાર્મિક માન્યતા અનુસાર, જે કોઈને તેમના લગ્નમાં મુશ્કેલીઓ અથવા અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે તેણે ગુરુવારે ભગવાન વિષ્ણુને કલગી અર્પણ કરવી જોઈએ. માનવામાં આવે છે કે આ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને લગ્નમાં આવનારી બાધાઓ દૂર થાય છે.
2. ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે, જેના કારણે તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સાથે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.
3. જો તમારા જીવનમાં હંમેશા કોઈને કોઈ સમસ્યા રહેતી હોય તો ગુરુવાર સવારે વહેલા ઊઠીને સ્નાન કરો. ધ્યાન રાખો કે નહાતા પહેલા પાણીમાં થોડી હળદર નાખો. આવું કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.
4. ગુરુવારે કેળાના ઝાડને જળ અર્પિત કરવાથી લગ્નમાં આવતી બાધાઓ પણ દૂર થાય છે. આ સાથે કેળાના ઝાડ પાસે ઘીનો દીવો કરવો પણ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
5. ધાર્મિક માન્યતા અનુસાર, ગુરુવારે સૂર્યાસ્ત પછી તુલસીના છોડ પાસે ઘીનો દીવો રાખવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir