બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 11:35 AM, 13 January 2024
Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે, નિયતિએ ભગવાનનું ભવ્ય રામ મંદિર બનાવવા પહેલેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરી લીધા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્ર ધર્મ મેગેઝિનના આગામી વિશેષ અંકના લેખમાં અડવાણીએ રામ મંદિર માટેની તેમની રથયાત્રાને યાદ કરતા કહ્યું કે, રથયાત્રાને 33 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તે સમગ્ર રથયાત્રા દરમિયાન વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે હતા. અડવાણીએ આગળ લખ્યું કે, નરેન્દ્ર મોદી તે સમયે બહુ પ્રખ્યાત ન હતા પરંતુ તે સમયે ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવા માટે નિયતિએ તેમને પસંદ કર્યા હતા. અડવાણીએ કહ્યું કે, જ્યારે તેમણે રથયાત્રા શરૂ કરી ત્યારે તેમને ખબર ન હતી કે આ યાત્રા દેશમાં એક મોટા આંદોલનનું સ્વરૂપ લેશે. પરંતુ તે જ સમયે ભગવાન રામે તેમના ભવ્ય મંદિરના નિર્માણ માટે તેમના ભક્ત (નરેન્દ્ર મોદી)ની પસંદગી કરી હતી. તેમણે કહ્યું ક, નિયતિએ નક્કી કર્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે અને આ માટે તેણે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કર્યા હતા.
રામ મંદિર આંદોલનને તેમની રાજકીય સફરની સૌથી નિર્ણાયક અને પરિવર્તનકારી ઘટના ગણાવતા અડવાણીએ લેખમાં આંદોલન દરમિયાનના તેમના ઘણા અનુભવો પણ શેર કર્યા છે. અડવાણીએ ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને યાદ કરતાં, જેઓ દાયકાઓ સુધી રાજકારણમાં તેમના ભાગીદાર હતા, તેમણે એમ પણ કહ્યું કે તેઓ રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા અટલ બિહારી વાજપેયીને ખૂબ જ મિસ કરતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રામ મંદિરનું સપનું સાકાર કરવા અને અયોધ્યામાં રામ લલ્લાનું ભવ્ય મંદિર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતાં અડવાણીએ કહ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન મોદી રામ મંદિરનો અભિષેક કરશે ત્યારે તેઓ સમયસર નિર્ણય લેશે. દેશના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરશે.
વાંચો વધુ: રામલલાના દરબારમાંથી કોઇ જ ભૂખ્યું નહીં જાય, દરેક કંઇકને કંઇક..., જાણો સંપૂર્ણ પ્લાનિંગ
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ કાર્યક્રમ માટે લાલકૃષ્ણ અડવાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે અડવાણી ખરાબ તબિયતના કારણે અયોધ્યા જઈ શકશે નહીં. જોકે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે અડવાણીના કાર્યક્રમમાં ભાગ લેવાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેમના આરોગ્યને ધ્યાનમાં રાખીને ડોકટરો અને તબીબી તૈયારીઓ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh