બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Lord Ram chose his devotee, Lal Krishna Advani praised PM Modi

અયોધ્યા રામ મંદિર / 'ભગવાન રામે પોતાના ભક્તને પસંદ કર્યા...', લાલકૃષ્ણ અડવાણીએ કર્યા PM મોદીના વખાણ, જુઓ શું કહ્યું

Priykant Shrimali

Last Updated: 11:35 AM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: રામ મંદિર આંદોલનને તેમની રાજકીય સફરની સૌથી નિર્ણાયક અને પરિવર્તનકારી ઘટના ગણાવતા અડવાણીએ લેખમાં આંદોલન દરમિયાનના તેમના ઘણા અનુભવો પણ શેર કર્યા

  • અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા  લાલ કૃષ્ણ અડવાણીનું નિવેદન 
  • નિયતિએ ભગવાનનું ભવ્ય રામ મંદિર બનાવવા પહેલેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કર્યા હતા 
  • અડવાણીએ કહ્યુ, રથયાત્રા દરમિયાન વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે હતા

Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે, નિયતિએ ભગવાનનું ભવ્ય રામ મંદિર બનાવવા પહેલેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરી લીધા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્ર ધર્મ મેગેઝિનના આગામી વિશેષ અંકના લેખમાં અડવાણીએ રામ મંદિર માટેની તેમની રથયાત્રાને યાદ કરતા કહ્યું કે, રથયાત્રાને 33 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તે સમગ્ર રથયાત્રા દરમિયાન વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે હતા. અડવાણીએ આગળ લખ્યું કે, નરેન્દ્ર મોદી તે સમયે બહુ પ્રખ્યાત ન હતા પરંતુ તે સમયે ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવા માટે નિયતિએ તેમને પસંદ કર્યા હતા. અડવાણીએ કહ્યું કે, જ્યારે તેમણે રથયાત્રા શરૂ કરી ત્યારે તેમને ખબર ન હતી કે આ યાત્રા દેશમાં એક મોટા આંદોલનનું સ્વરૂપ લેશે. પરંતુ તે જ સમયે ભગવાન રામે તેમના ભવ્ય મંદિરના નિર્માણ માટે તેમના ભક્ત (નરેન્દ્ર મોદી)ની પસંદગી કરી હતી. તેમણે કહ્યું ક,  નિયતિએ નક્કી કર્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે અને આ માટે તેણે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કર્યા હતા. 

રામ મંદિર આંદોલનને તેમની રાજકીય સફરની સૌથી નિર્ણાયક અને પરિવર્તનકારી ઘટના ગણાવતા અડવાણીએ લેખમાં આંદોલન દરમિયાનના તેમના ઘણા અનુભવો પણ શેર કર્યા છે. અડવાણીએ ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને યાદ કરતાં, જેઓ દાયકાઓ સુધી રાજકારણમાં તેમના ભાગીદાર હતા, તેમણે એમ પણ કહ્યું કે તેઓ રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા અટલ બિહારી વાજપેયીને ખૂબ જ મિસ કરતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રામ મંદિરનું સપનું સાકાર કરવા અને અયોધ્યામાં રામ લલ્લાનું ભવ્ય મંદિર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતાં અડવાણીએ કહ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન મોદી રામ મંદિરનો અભિષેક કરશે ત્યારે તેઓ સમયસર નિર્ણય લેશે. દેશના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરશે.

વાંચો વધુ: રામલલાના દરબારમાંથી કોઇ જ ભૂખ્યું નહીં જાય, દરેક કંઇકને કંઇક..., જાણો સંપૂર્ણ પ્લાનિંગ

ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ કાર્યક્રમ માટે લાલકૃષ્ણ અડવાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે અડવાણી ખરાબ તબિયતના કારણે અયોધ્યા જઈ શકશે નહીં. જોકે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે અડવાણીના કાર્યક્રમમાં ભાગ લેવાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેમના આરોગ્યને ધ્યાનમાં રાખીને ડોકટરો અને તબીબી તૈયારીઓ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir PM મોદી ભગવાન રામ રામ મંદિર આંદોલન લાલકૃષ્ણ અડવાણી Ayodhya ram mandir
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ