બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / .. Looking at this, the education department itself seems illiterate.! Now Gujarat will learn from contractual teachers. Tet and Tat passed 'permanent' rumblings?
Vishal Khamar
Last Updated: 08:43 PM, 14 July 2023
શાળાઓમાં શિક્ષકની ઘટ એ વર્ષો જૂનો મુદ્દો છે જેના સમાધાન શોધવાના પ્રયાસ અવિરત ચાલુ રહે છે. સરકારે કાયમી ભરતી ન થાય ત્યાં સુધી શિક્ષકોની ઘટ ન પડે એ માટે નવો શબ્દ અને નવા શબ્દ રૂપે નવો વિકલ્પ શોધ્યો છે જેને નામ આપ્યું છે જ્ઞાન સહાયક. જ્ઞાન સહાયકની સરકાર કરાર આધારીત ભરતી કરશે જેનો સમયગાળો 11 મહિનાનો રહેશે. સરકારની આ જ નીતિ સામે ટેટ અને ટાટ કે PTC પાસ કરી હોય તેવા ઉમેદવારો રોષે ભરાયા છે,
ઉમેદવારોનો સીધો તર્ક છે કે એકંદરે GPSC પેટર્ન જેવી પરીક્ષા માટે પાંચ-સાત વર્ષ મહેનત કરીને જો પરીક્ષા પાસ કરી હોય અને આટલા વર્ષોની મહેનત પછી પણ 11 મહિનાની કરાર આધારીત નોકરી જ કરવાની હોય તો તેના કરતા જુનિયર ક્લાર્ક કે તલાટી થઈ જવું વધારે સારુ. ટેટ અને ટાટ પાસ ઉમેદવારો 18 જુલાઈથી સત્યાગ્રહ છાવણી પાસે ઉપવાસની પણ ચીમકી આપી ચુક્યા છે ત્યારે સરકાર શિક્ષકોની ઘટ દૂર કરવા જ્ઞાન સહાયકની ભરતી કરવા મક્કમ છે. મૂળભૂત પ્રશ્ન ફક્ત એટલો છે કે સરકારનો હેતુ સારુ શિક્ષણ આપવાનો છે પણ એ સારા શિક્ષણનો હેતુ કાયમી શિક્ષકોને બદલે કરાર આધારીત શિક્ષકોથી પૂરો થશે ખરો?
જ્ઞાન સહાયક યોજના શું છે?
સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજનાનો અમલ થશે. જ્ઞાન સહાયકોની નિમણૂંક 11 મહિના માટે કરવામાં આવશે. 11 મહિના પૂર્ણ થતા કરાર આપોઆપ રદ ગણાશે. સમીક્ષાના આધારે યોગ્ય જણાય તો નવેસરથી કરાર કરી શકાશે. કરાર રિન્યુ કરવાની સત્તા શાળા વ્યવસ્થાપન સમિતિની રહેશે. જરૂર પડે ત્યારે શાળાના સમય સિવાય પણ શૈક્ષણિક પ્રવૃતિ કરવાની રહેશે. યોજનાને બે વર્ષ પૂર્ણ થાય પછી માનદ વેતનમાં વધારા અંગે વિચારણા થશે. ઉમેદવારને પોતાના વતન કે નજીકના વિસ્તારનો વિકલ્પ અપાશે. જ્ઞાન સહાયક યોજના અમલમાં આવ્યા પછી પ્રવાસી શિક્ષક યોજના રદ ગણાશે.
જ્ઞાન સહાયકને કેટલું વેતન મળશે? (હેડર)
પ્રાથમિક વિભાગ (સબ હેડર) |
21 હજાર ફિક્સ વેતન |
માધ્યમિક વિભાગ (સબ હેડર) |
24 હજાર ફિક્સ વેતન |
ઉચ્ચતર માધ્યમિક વિભાગ (સબ હેડર) |
26 હજાર ફિક્સ વેતન |
જ્ઞાન સહાયક અંતર્ગત કેટલી ભરતી?
કુલ ભરતી | 26500 |
પ્રાથમિક વિભાગ | 15000 |
માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક | 11500 |
ખેલ સહાયક | 5075 |
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh