બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 11:46 AM, 15 September 2023
Rajkot News : સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વિવાદ વચ્ચે હવે રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટનું બાલાજી મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ ભુપેન્દ્ર રોડ આવેલ કિરણસિંહ હાઈસ્કૂલમાં ગણેશ ઉત્સવના આયોજન હતું. જોકે તે પહેલા જ અહીં વિવેક સ્વામીએ રેતી-કપચીના ઢગલા કરી જગ્યા પર કબજો જમાવી લીધો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે હવે આ ઘટનાને લઈ ગણેશ મંડળના સભ્યોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
ગણેશ ઉત્સવને લઈ ગુજરાત સહિત દેશભરમાં ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે. આ દરમિયાન હવે રાજકોટમાં એક નવો વિવાદ સામે આવ્યો છે. વિગતો મુજબ રાજકોટના ભુપેન્દ્ર રોડ આવેલ કિરણસિંહ હાઈસ્કૂલમાં ગણેશ ઉત્સવનું આયોજન હતું. જોકે વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકના બાલાજી મંદિરના સ્વામીજીએ આ જગ્યા પર રેતી કપચીના ઢગલા કરી જગ્યા પર કબજો જમાવી લીધો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં
કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં બાલાજી મંદિરના સ્વામીએ વિવાદ સર્જ્યો છે. મહત્વનું છે કે, ગજાનંદ ધામ મંડળ દ્વારા ગ્રાઉન્ડનું ભાડું ભર્યું છતાં આયોજન ન કરવા દેવા દબાણ કરી ગઈકાલે તૈયાર કરેલું સ્ટેજ વિવેક સાગર સ્વામીના ચાર માણસોએ તોડી પાડ્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. આ સાથે આજેગજાનંદ ધામ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. મહત્વનું છે કે, બાલાજી મંદિરનું ગેરકાયદેસર બાંધકામને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. આ સાથે સાળંગપુર મંદિર વિવાદ હજુ સમ્યો નથી ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ગણેશ મહોત્સવ ન કરવા દઈ નવો જ વિવાદ સર્જ્યો છે.
12 વર્ષથી અહીં જ થાય છે ગણેશ ઉત્સવ
ગણપતિ ઉત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ તરફ રાજકોટના કરણસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગજાનંદ ધામ મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી ગણેશ ઉત્સવના પંડાલ ગોઠવી આયોજન કરવામાં આવે છે. આ તરફ પરંપરા અનુસાર આ વર્ષે પણ આયોજન હાથ ધરાયુ હતું. જોકે વિવેક સાગર સ્વામીએ ગણેશ ઉત્સવની જગ્યાએ રેતી-કપચી નાખી જગ્યા પર રોકી દીધી હતી. જેને લઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
અંતે મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી
આ તરફ ગણેશ ઉત્સવ માટે ગ્રાઉન્ડની મંજૂરી અને ફી ધારા ધોરણ મુજબ ભરી છતાં ઉજવણી રોકવાનો પ્રયાસ કરાતા સ્થાનિકો અધિરા બન્યા હતા. આ મામલે લોકોના ટોળા એકઠા થતા સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. ગજાનંદ ધામ મંડળના સભ્યો એકત્ર થયા હતા અને JCB થી ગજાનંદ ધામ મંડળના સભ્યોએ રેતી-કપચી દૂર કરી હતી. મહત્વનું છે કે, બાલાજી મંદિર વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh