બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / બિઝનેસ / LIC eases the rules of claiming especially for people who affected by biparjoy cyclone
Vaidehi
Last Updated: 02:54 PM, 18 June 2023
દેશનાં પશ્ચિમી વિસ્તારમાં બિપોરજોય ચક્રવાતે ભારે તબાહી મચાવી છે ત્યારે ભારતીય જીવન વીમા નિગમે લોકોને ઈંશ્યોરેંસ બિપોરજોયનાં પીડિતો માટે ક્લેમનાં નિયમ સરળ કર્યાં છે. આ વાવાઝોડાએ ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ભારે નુક્સાન પહોંચાડ્યું છે. આવા સમયે LICનું આ પગલું લોકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
ક્લેમનાં નિયમો સરળ કરવાનું એલાન
વીમા રેગ્યુલેટર IRDAIની માર્ગદર્શિકા અનુસાર LICએ શનિવારે સાંજે વીમાધારકો માટે રાહતની ઘોષણા કરી હતી. આ સાથે જ LICએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનનાં સબસ્ક્રાઈબર્સ માટે પણ ક્લેમનાં નિયમો સરળ કરવાનું એલાન કર્યું હતું.
નોડલ ઓફિસરને નોમિનેટ કરાયા
LICએ કહ્યું કે વાવાઝોડામાં જાનહાનિ તો ન્યૂનતમ રહી છે પરંતુ કંપની પીડિતોનાં પરિવારનો સંપર્ક કરવાનાં પ્રયાસો કરી રહી છે. જેથી તેમને આ મુસિબતનાં સમયમાં મદદ પહોંચાડી શકાય. LICએ કહ્યું કે લોકો સુધી વીમા ક્લેમ સરળતાથી પહોંચે તે માટે મંડલ સ્તર પર નોડલ ઓફિસરને નોમિનેટ કરવામાં આવ્યાં છે. આ ઓફિસર્સ રાજ્ય સરકારોનાં મુખ્ય સચિવ અને સંબંધિત અધિકારીઓની સાથ સંપર્ક કરશે.'
પોર્ટલ પર અલગથી બનાવાઈ લિંક
LICએ બિપોરજોય ચક્રવાતનાં પીડિતોની મદદ કરવા માટે પોતાના પોર્ટલ પર એક અલગ લિંક પણ શરૂ કરી છે. અહીં જઈને લોકો પોતાના ક્લેમ સેટલમેંટ માટે ઓનલાઈન જ અપ્લાય કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ઘટનાનાં સમયે પણ LICએ ક્લેમનાં નિયમો સરળ બનાવી અને વધુને વધુ લોકોને મદદ કરવાનાં પ્રયાસો કર્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh